SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે...! - શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્માઓએ ફરમાવેલો ધર્મ, એ સ્વર્ગાપવર્ગાદિના સુખરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરવાને માટેનું અવખ્ય કારણ છે. અવધ્ય કારણ તે જ કહેવાય છે, કે જે કારણની સેવાથી નિયમા ફલસિદ્ધિ પ્રાપ્ત થાય. સ્વર્ગાપવર્ગાદિના સુખ માટે શ્રી જિનધર્મ એ અવધ્ય કારણ છે : કારણ કે-શ્રી જિનધર્મને સેવનારો આત્મા સ્વર્ગાપવર્ગાદિના સુખને નિયમો પ્રાપ્ત કરે છે. ધર્મ શ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે; એ કારણે જેઆત્માઓ શ્રી જિનાજ્ઞાને નિર્દષ્મપણે સમર્પિત બની જઈને આજ્ઞામય જીવન જીવવાને તત્પર બને છે, તે આત્માઓને માટે સુખની પ્રાપ્તિ એ સુનિયત જ વસ્તુ છે. એવા આત્માઓ સંપૂર્ણ આરાધના દ્વારા મોક્ષસુખને ન પામે, ત્યાં સુધી તેઓને મનુષ્યલોકના અને દેવલોકના પણ ઉત્તમ કોટિના સુખોની પ્રાપ્તિ સહજ બને છે. નિર્દષ્મપણે આજ્ઞાધીન બનીને કરેલી શ્રી જિનધર્મની આરાધના, આરાધક આત્માઓને દિન-પ્રતિદિન વિશેષ ઉન્નત બનાવે છે અને એ રીતિએ વિશેષ-વિશેષ ઉન્નત બનતા તે પુણ્યાત્માઓ, અન્ને મોક્ષસુખના ભોક્તા બને છે. આ કારણે, શ્રી જિનધર્મ એ જ એક સ્વર્ગાપવર્ગાદિની સુખલક્ષ્મી પામવા માટેનું અવધ્ય કારણ ગણાય, તે સ્વાભાવિક જ છે. -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
SR No.004465
Book TitleShastra Sandesh Mala Part 15
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2005
Total Pages348
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy