SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ * વીરવાડા આજુએ એકેક હાથી તથા એકેક સિંહ તેમજ એક બાજુએ યક્ષ અને બીજી બાજુએ યક્ષિણું કાતરેલાં છે. તેના ઉપર આશરે એક ફૂટ ઊંચી શ્રીઅંબિકાદેવીની મૂર્તિ સ્થાપન કરેલી છે. તેની બંને બાજુએ પરિકરના ઉપરના ભાગના બે ટુકડા લગાવેલા છે. તે બંને ટુકડામાં એકેક બેઠેલ જિનમૂત્તિ વગેરે કતરેલાં છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ, શૃંગારચોકી, દરવાજાની બંને બાજુની ૧૪ દેરીઓ અને ભમતીના કેટયુક્ત શિખરબંધી બનેલું છે. ડાબા હાથ તરફની દેરીઓમાં એક દેરીને દરવાજે, સુંદર મકરાણાને કેરણી યુક્ત, બનેલો છે. કદાચ આ દરવાજે ચંદ્રાવતીના મંદિરેમાંથી લાવેલા હેય. આ બધી દેરીઓ અને સભામંડપ તથા કેટ જીર્ણ થઈ જવાથી લગભગ ૧૫-૨૦ હજાર રૂપિયા ખરચીને સભામંડપને ઉતરાવી લઈ બધી દેરીઓ, સભામંડપ, શૃંગારચોકી અને કેટ નવેસરથી સં. ૧૯૫૦થી ૫૭ સુધીમાં કરાવેલાં છે, અને સં. ૧૯૯૪માં ધ્વજા–દંડ–કલશની પ્રતિષ્ઠા કરી ફરી ચઢાવવામાં આવેલ છે. આ મંદિર ક્યારે અને કેણે બંધાવ્યું તે કંઈ જાણવામાં આવ્યું નથી. ગૂઢમંડપ, ચોકી વગેરેમાં કલર કરાવેલી હેવાથી તે સંબંધી લેખ હોય તો પણ દટાઈ ગયો હશે. ફક્ત એક લેખ, છાકીના સ્તંભ પર વિ. સં. ૧૪૧૦માં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધીને મળે છે, તે ઉપરથી જણાય છે કે આ મંદિર તેનાથી બે ચાર સિકા પહેલાં તે અવશ્ય બનેલું હોવું જોઈએ. એ જ લેખમાં “વરવાડા ગામને ઉલ્લેખ પણ છે તેથી ગામ પણ તેથી યે પ્રાચીન હોવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy