SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ તીર્થમાલાઓ અને પટ્ટાવલીઓમાં પણ આ ગામનું નામ હમીરપુર અને હમીરગઢ આપેલું જોવામાં આવે છે. તેથી આ ગામનાં ઉપર્યુક્ત નામે તથા તેની પ્રાચીનતા પુરવાર થાય છે. ઉપર્યુક્ત એક પ્રમાણ સિવાય આ નગરની ઉત્પત્તિ માટે બીજા ઉલ્લેખ મળ્યા નથી, તેમજ આ રાજ્યના અને તેના રાજાઓના ઈતિહાસ કે જાહોજલાલી સંબંધી તથા તેના નાશ સંબંધી પણ કંઈ વિશેષ જાણવામાં આવ્યું નથી. ઈતિહાસતત્વનિષ્ણાત મ. મ. રાવબહાદુર ગોરીશંકર હીરાચંદ ઓઝા જેવાએ પણ પિતે લખેલા સિરોહી ૫ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ વિ. સં. ૧૭૫૫માં રચેલી તીર્થમાલામાં હમ્મીરગઢમાં ચાર જિનમંદિર વિદ્યમાન હોવાનું લખ્યું છે. તેઓએ હમ્મીરગઢની યાત્રા કરી હશે જ એટલે ત્યાં સુધી અહીં જૈનોની વસ્તી સારી હશે, અને શહેર પણ આબાદ હશે, એમ લાગે છે. ત્યારપછીના નજીકના સમયમાં જ એટલે અઢારમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં ઔરંગજેબ અથવા તેમના સુબાઓની ફોજનાં આક્રમણથી–તેમની સાથે થયેલ લડાઈમાં; અથવા તે તે વખતના સિરોહીના મહારાવ સાથે કંઈક અથડામણ થઈ હોય અને તેને અંગે થયેલા યુદ્ધમાં અહીંના રાજવંશનો અને તેની સાથે આ નગર તથા કિલ્લાનો પણ નાશ થયો હોય અને આ પ્રદેશ સિરોહી રાજ્ય પિતાના રાજ્યમાં ભેળવી દીધો હોય–ખાલસા કરી દીધો હોય, તો તે પણ બનવાગ્ય છે. ગમે તેમ હોય પણ આ શહેરનો અઢારમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં નાશ થયો હોય, એમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy