SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણા તેમના જ શિષ્ય (દત્તાણી) ગામમાં પધાર્યા હતા. ૧ શ્રીઆર્યરક્ષિતસૂરિના જન્મ પણ આ ગામમાં જ થયા હતા.ર તેથી આ ગામ તેથીયે પ્રાચીન હાય એમ જણાય છે. આ ગામ સિરાહીમાં રણભૂમિ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. અહીં વિ॰ સ૦ ૧૬૪૦ ના કાર્તિક સુદ્ધિ ૧૧ના દિવસે સિરાહીના પ્રસિદ્ધ વીર મહારાવ સુરતાણુ અને દેહલીના માદશાહ અકબરના સૈન્ય વચ્ચે ભારે લડાઈ થઈ હતી, જેમાં મહારાવ સુરતાણુના વિજય થયા હતા. બાદશાહ અકબરની આ સેના મેવાડના મહારાણા પ્રતાપસિંહના ભાઈ જગમાલને સિરાહીનુ અરધું રાજ્ય અપાવવા માટે સિરાહી ઉપર ચઢી આવી હતી. તેને મુખ્ય સેનાપતિ જોધપુરના મહારાવ ચંદ્રસેનના પુત્ર રાઠોડ રાયસિંહ હતા. આ જ શુક્ષેત્રમાં રાઠૉડ રાયસિંહ, સીસોદિયા જગમાલ આદિ કેટલાયે પ્રસિદ્ધ પુરુષા માર્યા ગયા હતા અને શાહી ફાજ હારીને પાછી ફરી હતી. આ જ લડાઈમાં પ્રસિદ્ધ દેવડા સમરા પણ માર્યા ગયા હતા, જેની છત્રી અહીં સિદ્ધેશ્વર મહાદેવના મંદિર સામે જ બનેલી છે. આ લડાઈ દત્તાણી ગામથી પૂર્વ ઘેાડી. દૂર આનૂની દક્ષિણ-પશ્ચિમી પર્વતશ્રેણીમાં થઈ હતી. આ ગામમાં અત્યારે શ્રાવકનુ ઘર એક અને અગ્રવાલ મેાદીનુ ઘર એક છે. ૧. જૂએ અંચમછીયપટ્ટાવી પૃ. ૧૨૭ ૨. પૃ. ૧૨૦ .. ,, ૩. જૂએ સિરોટ્ટી રાખ્યા તિહાસ પૃ. ૪૪ For Personal & Private Use Only Jain Education International "" www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy