________________
( સંપાદકીય નિવેદન :
-
1
.
પરમ પવિત્ર નામધેય, પરોપકારી, મૃતધરે, સ્થવિશે, ગીતાર્થઆચાર્યો અને મહાન મહર્ષિઓ રચિત સર્વોચ્ચ વિવિધ અને વિશાલ સાહિત્યને વારસે જે સમાજને મળ્યો છે તે સમાજ, દુનિયાની સમસ્ત સમાજમાં શ્રેષ્ઠ અને મહાન ભાગ્યશાળી ગણુય એમાં આશ્ચર્ય નથી.
પરતુ કમભાગ્યની વાત છે કે આપણા પૂર્વજોએ અર્પણ કરેલ અને આજ સુધી જાનના જોખમે સાચવીને રાખેલા તે સાહિત્ય વારસાનું જેટલું રક્ષણ કરવું જોઈએ તેટલું રક્ષણ આપણે કરી શક્યા નથી અને તેથી જ તેમાંનું કિંમતી સાહિત્ય સડી જવાથી, બળી જવાથી, ચેરાઈ જવાથી અને સ્થગિત રહેવાથી ઇત્યાદિ કારણોથી અનેકવિધ ઉપદ્રને ભોગ બની, ઘણુંખરું નાશ થઈ ગયું છે એનું મુખ્ય કારણ જે કાઈ હોય તે તેવા કિંમતી સાહિત્ય પ્રત્યે આપણે સેવેલી ઉપેક્ષા સિવાય અન્ય શું હોઈ શકે ?
છતાં “ભાંગ્યું ભાંગ્યું તોએ ભરૂચ ” એ કથનાનુસાર જે કાંઈ હજુ પણ આપણી પાસે છે તે પણ કાંઈ ઓછું નથી. એની પણ રક્ષા માટે જે શકય પ્રયત્ન કરવામાં આવે તે ભવિષ્યની પ્રજા માટે તે પ્રયત્ન આશીર્વાદરૂપ ગણાશે. જો કે આજે તે દિશામાં અપ્રકટ હસ્તલેખિત સાહિત્યના પ્રકાશન માટે ભાગ્યશાલીઓ તરફથી શકય પ્રયત્ન થતો જોવામાં આવે છે એ પણ આનંદનો વિષય છે, પરંતુ જેટલું જોઈએ તેટલું લક્ષ્ય અપાતું નથી.
પ્રસ્તુત પુસ્તકનું સંપાદન કરતાં હું પણ આનંદનો અનુભવ કરી રહ્યો છું. આ પુસ્તકમાં ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત અને પિશાચી આદિ ભાષાઓમાં પૂર્વાચાર્યો અને પૂર્વ મહર્ષિઓકૃત સ્તુતિ–થયેનો અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org