________________
[૧૯] વ્યવહારસ્તુતિ અને બીજી નિશ્ચયસ્તુતિ. પ્રભુજીના બાહ્ય આકારનું વર્ણન કરતી સ્તુતિ વ્યવહારસ્તુતિ છે, જે સ્તુતિમાં જિનેશ્વરભગવંતના ગુણોનું જ વર્ણન કરવામાં આવ્યું હોય તે નિશ્ચયસ્તુતિ કહેવાય છે. જેમ રાજાનું નિશ્ચયવર્ણન રાજ શૂરવીર છે, દાની છે, ન્યાયી છે પણ રાજાના રાજમહેલનું, રાજધાનીનું વર્ણન કરવામાં આવે તે રાજાનું વર્ણન બાહ્યવર્ણન છે. જિનેશ્વરે અનંતજ્ઞાની છે, અનંત ઉપકારી છે, એમના અભ્યતર ગુણે અપરંપાર છે ઇત્યાદિ આત્માશ્રિત જે વર્ણન તે નિશ્રયસ્તુતિ છે અને એમના શરીરમાં ૧૦૦૮ લક્ષણો હોય છે, એમનું શરીર સૂર્યની તેજસ્વિતાને પણ ઝાંખપ લગાડે તેવું છે. ભગવાન ચાલે ત્યારે પગ જમીન ઉપર મૂકે નહિ. સ્વર્ણકમલ ઉપર મૂકે. ભગવાન ત્રણ ગઢવાળા રત્નજડિત સિંહાસન ઉપર બેસીને દેશના દે છે-આ બધું વર્ણન એ વ્યવહારસ્તુતિ છે. આવી નિશ્ચય અને વ્યવહાર સ્તુતિઓને આ ગ્રંથમાં ઢગલે છે. તેમાં યમક, પ્રાસાનુપ્રાસ, વર્ણાલંકાર, સારા'ગ'મ'પધ” ની'સા'ના સ્વરવાલી, ફ તેમજ મીઠાઈઓના નામવાલી પણ અર્થ જુદે નીકલતો હોય એવી ચમત્કારિક સ્તુતિએ ઘણું ઘણું સંગૃહીત છે. આજસુધી બીલકુલ અપ્રસિદ્ધ એવી પિશાચીભાષાબદ્ધશ્રી પાર્શ્વજિનની સ્તુતિના જેડાનો પણ સંગ્રહ કરાયો છે. આ સંગ્રહમાં છૂટી થયે જોડાઓ અને ચોવીશઓ છે. કેટલીક સ્તુતિઓની અવસૂરિઓ પ્રાપ્ત થવાથી સંસ્કૃતયમકબદ્ધ સ્તુતિઓને પદખેદ સારી રીતે કરાય છે. આમાં દશ તરગે છે અને એકએક તરંગમાં કેટલી સ્તુતિઓ છે ઈત્યાદિ સંપાદકીય નિવેદન જેવાથી માલમ પડશે. એક સ્તુતિ ને ચાર અધિકાર
આ સંકદાનામાં એક જ થાય ચાર વખત બોલી શકાય તેવી આશરે ૨૫ સ્તુતિઓ છે એટલે કે ચારે અધિકાર એક જ શ્લેકમાં આવી જાય તેવા છે. આવી સ્તુતિઓના બનાવનાર પ્રામાણિક મહષિઓ હોવાથી બોલવામાં વધે હોય તેમ દેખાતું નથી. એક સ્તુતિ ચાર વખત બોલી શકાતી હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org