SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ -સરળ ગુજરાતી ભાવાર્થ ધ (૬) અધ્યયન : કુંભક – જીવની ગુરુતા અને લઘુતા આ અધ્યયનમાં રાજગૃહીમાં ભગવાન મહાવીર દ્વારા જીવની ગુરુતા અને લઘુતાનું કારણ અને તે વિષે માટીથી લીંપેલી તુંબડીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. (૭) અધ્યયન : રોહિણી – પાંચ મહાવ્રતોની વૃદ્ધિ હાથીએ સસલાની કરેલી રક્ષા, મેઘમુનિને પૂર્વજાતિનું સ્મરણ, પ્રવ્રજ્યાસ્થિરતાની દઢ પ્રતિજ્ઞા, ૧૨ શ્રમણ પ્રતિમા આરાધના, વિપુલ ગિરિ પર અંતિમ આરાધના, વિજય વિમાનમાં ઉત્પત્તિ પછી ચ્યવન, મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણની કથા છે. (૨) અધ્યયન : સંઘાટક – રત્નત્રયની આરાધનાર્થે આહાર કરવો આ અધ્યયનમાં રાજગૃહનગર, ધન્ના વેપારી (સાર્થવાહ) અને તેની ભાર્યા ભદ્રા, પંથક નામનો ચાકર, વિજય ચોરનું ક્રૂર જીવન, ભદ્રાદ્વારા પુત્રપ્રાપ્તિ માટે અનેક દેવદેવીઓની પૂજા, દેવદિત્રનો જન્મ, દેવદિત્રને રમાડવા પંથકનું ઉદ્યાનમાં જવું, આભૂષણો ચોરવા વિજય ચોર દ્વારા દેવદિત્રની હત્યા, સૈનિકો દ્વારા બાલધાતી ચોરને પકડીને કારાવાસમાં નાંખવો, ધન્ના વેપારીને પણ કરચોરીના અપરાધમાં કારાવાસ, ચોર અને શેઠને એક જ બેડીમાં બંધન, પંથક ચાકર દ્વારા લવાએલા ભોજનમાંથી શેઠનું ચોરને ભોજનદાન, ભદ્રા શેઠાણી નારાજ, શેઠદ્વારા ખુલાસો, ધન્નારોઠની પ્રવ્રજ્યા અને છેલ્લે ભગવાન મહાવીર દ્વારા નિગ્રંથની શિક્ષાની કથા છે. (૩) અધ્યયન : ઈંડું – શંકા ન કરવી આમાં ચંપાનગરીના જિનદત્ત અને સાગરદત્ત નામે બે મિત્રોને ઢેલના બે ઈંડા મળવા, બંને મિત્રો દ્વારા પાલન માટે એક એક ઈંડું લેવું, જિનદત્ત દ્વારા ઈંડાને મરઘીના ઈંડાઓસાથે પાલન કરવા મૂકવું. સાગરદત્તનું ઇંડાવિષે શંકા અને તેથી ઇંડાનું નાશ પામવું, જિનદત્તને ઈંડામાથી મોરની પ્રાપ્તિ, મોરને નૃત્ય વગેરેની શિક્ષા આપી જિનદત્તનું ધનોપાર્જન. આ કથા દ્વારા ભગવાન મહાવીરની સાધુ-સાધ્વીઓને સમ્યક્ત્વમાં શંકાના અતિચાર વિષે હિતશિક્ષા આપવામાં આવી છે. (૪) અધ્યયન : સૂર્ય – ઈન્દ્રિયજય આમાં વારાણસીના ઝરામાંથી બે કાચબાઓનું ખોરાકની શોધમાં નીકળવું, બે શિયાળનું તેમની તાકમાં બેસવું, શિયાળ પાસેથી પસાર થતા કાચબાઓનાં ચંચળચિત્ત કાચબાનો શિકાર થવો અને સ્થિરચિત્ત કાચબાનું બચી જવું - એ કથા દ્વારા ભગવાન મહાવીર સાધુ-સાધ્વીઓને પાંચેય ઈન્દ્રિયોને વશ કરવાની હિતશિક્ષા આપે છે. (૫) અધ્યયન : શાત – પ્રમાદ પરિહાર આમાં દ્વારિકા નગરી વગેરેના વર્ણન પછી થાવસ્યા ગાયાપતિના થાવચ્ચા પુત્રનો વૈરાગ્ય, દીક્ષા માટે અંતરાય, શ્રીકૃષ્ણ દ્વારા થાવચ્ચા પુત્રના વૈરાગ્યની પરીક્ષા અને અંતે ૧૦૦૦ વ્યક્તિઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ વગેરે થા દ્વારા પ્રમાદનો ત્યાગ કરવાની હિતશિક્ષા આપી છે. 出 રાજગૃહ નગરમાં ધન્નારોઠ દ્વારા પાંચ-પાંચ ડાંગરના દાણા આપીને ચાર પુત્રવધૂઓની પરીક્ષા અને તે પ્રમાણે કાર્યસોંપણી, તે ચાર પુત્રવધુઓમાં રોહિણીએ ડાંગરમાંથી વાવણી કરાવીને વૃદ્ધિ કરી તે પ્રમાણે પાંચ મહાવ્રતોની વૃદ્ધિ કરવાની હિતશિક્ષા ભગવાન મહાવીરે આપી છે. (૮) અધ્યયન : મલ્લી - ૧. માયાશલ્ય નિવારણ ૨. દુર્ગંધમય દેહ આ અધ્યયનમાં ભગવાન મલ્લિનાથનો પૂર્વભવ, વર્તમાન ભવનું વિસ્તૃત વર્ણન, છ રાજાઓની પરીક્ષા, તપમાં માયા કરવાથી સ્રીપણાની પ્રાપ્તિ, દુર્ગંધમય દેહ દ્વારા છ રાજાઓને પ્રતિબોધ વગેરે ક્થા છે. (૯) અધ્યયન : માર્કદી આ અધ્યયનમાં ચંપાનગરીમાં માદીરશેઠના બે પુત્રો જિનપાલિત અને જિનરક્ષિતનું વ્યાપાર અર્થે સમુદ્રયાત્રા પર જવું, યાત્રામાં વિઘ્ન, જહાજનું તૂટવું, બંને ભાઈઓનું રત્નદ્વીપ પહોંચવું, રયણાદેવી સાથે ભોગવિલાસ, લવણસમુદ્રની સફાઈ કરવા સુસ્થિત દેવનો રયણાદેવીને આદેશ, રયણાદેવી દ્વારા બંને ભાઈઓને દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ છતાં બંનેનું ત્યાં જવું, રયણાદેવીની વાસ્તવિકતાનું ભાન થવું, બંને દ્વારા સેલક યક્ષની ઉપાસના, યક્ષદ્વારા ચંપાનગરી જતા રસ્તામાં રયણાદેવી દ્વારા અસિપ્રહારમાં ચંચળ મનવાળા જિનરક્ષિતનું મૃત્યું વગેરે કથા દ્વારા ભગવાન મહાવીર સાધુ-સાધ્વીઓને ચંચળ મનવાળા ન થવાની હિતશિક્ષા આપે છે. (૧૦) અધ્યયન : ચંદ્ર – આત્મગુણોની વૃદ્ધિ આ અધ્યયનમાં ચંદ્રની કૃષ્ણપક્ષમાં હાનિ અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ થાય છે તે પ્રમાણે આત્મગુણોની વૃદ્ધિ કરવાની વાત છે. (૧૧) અધ્યયન : દાવદ્રવ – જિનમાર્ગની આરાધના – વિરાધના આ અધ્યયનમાં (૧) ઉપમાન = દાવાનળમાં વૃક્ષ, ઉપમેય = સાધક શ્રમણ વગેરે ( ૨ ) ઉપમાન = સમુદ્રનો વાયુ, ઉપમેય = અન્ય તીર્થિકો (૩) ઉપમાન = દ્વીપનો વાયુ, ઉપમેય = સ્વતીર્થિકો તેમજ (૪) દેશ આરાધક અને દેશવિરાધક, સર્વ આરાધક અને સર્વ વિરાધક વગેરે વર્ણન છે. श्री आगमगुणमंजूषा २३ 5719
SR No.003256
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages116
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy