SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણાંજલિ પં. શ્રી કલ્યાણવિજયજી મ.એ ઘણું સાહિત્ય રચ્યું છે. તેઓશ્રીના સાહિત્યનો પરિચય આપતાં પં. મફતલાલ ઝવેરચંદ (કલ્યાણકલિકામાં) સ્મરણાંજલી આપતાં જણાવે છે કે— પૂ. પં. શ્રીકલ્યાણવિજયજી ગણિ, જૈન શાસનમાં પ્રાચીન ગ્રંથોના સંશોધક, આગમ વ્યાકરણ ન્યાય આદિ ગ્રંથોના પ્રકાંડ વિદ્વાન, ઇતિહાસના સમર્થ જ્ઞાતા, વિધિવિધાન ગ્રંથોના વિશિષ્ટ જ્ઞાતા, જ્યોતિષ શાસ્ત્રના સમર્થ વિદ્વાન તથા પ્રાચીન શિલ્પવિજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. આ બધાય વિષયોમાં તે અજોડ અને સમર્થ હતા. જૈન જગત ઉપરાંત સમસ્ત ભારતમાં ઇતિહાસવેત્તા તરીકે તેમની વિશિષ્ટ ખ્યાતિ હતી અને તેમનો અભિપ્રાય ઇતિહાસના વિષયમાં ગણનાપાત્ર ગણાતો. પ્રાચીન ઇતિહાસ સંબંધમાં આપણા જૈન શાસનમાં ત્રણ વ્યક્તિઓની ગણના હતી : ૧. પૂ. આ. ઇન્દ્રસૂરિજી મ., ૨. પૂ. પં. કલ્યાણવિજયજી ગણિ., ૩. પૂ. મુનિશ્રી દર્શનવિજયજી ત્રિપુટી. આ ત્રણેમાં વિશિષ્ટ સ્થાન પૂ. પં. શ્રીકલ્યાણવિજયજી ગણિનું હતું. તેમણે જૈન ઇતિહાસના સંશોધન સાથે કેટલીક એવી વિશિષ્ટ વાતો સંશોધન દ્વારા રજૂ કરી હતી કે જેને લઈ ભારતભરના વિદ્વાનો તેમના અભિપ્રાયને બહુમૂલ્ય ગણતા. તેની સાક્ષીરૂપે તેમના લખેલા ‘વીરનિર્વાણ સંવત્ અને જૈન કાલગણના' પુસ્તક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002752
Book TitleVir Nirvan Samvat aur Jain Kal Ganana
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2000
Total Pages204
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy