SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત ગૃહસ્થો ઉપર લખેલા પત્રો, ચોવીસીઓ, વસી, સ્નાત્ર, સ્તવનો, સઝાયો આદિ અનેક રચનાઓ પ્રગટ થઈ છે. ઉપા. દેવચંદ્રજીના ગ્રંથો ઉપર રચાયેલા ટબ્બાઓ પણ પ્રગટ થયા છે. પોતાની કૃતિ ઉપર પણ શ્રીમદે સ્વોપજ્ઞ સ્તબક રચ્યા છે. અપ્રગટ-અનુપલબ્ધ સાહિત્ય સાધ્વી હેમપ્રભાશ્રીજીએ “દેવચન્દ્રપદ્ય-પીયૂષમાં આપેલ વિગત મુજબ અપ્રગટ-અનુપલબ્ધ સાહિત્યની વિગત આ પ્રમાણે છે. ૧. અધ્યાત્મબોધ (નાહટા લાયબ્રેરી બીકાનેરમાં હ.લિ. પ્રત છે.) ૨. અધ્યાત્મ શાંતરસ વર્ણન. ૩. ઉદયસ્વામિત્વ પંચાશિકા (ખરતરગચ્છ જ્ઞાનભંડાર, જયપુર) ૪. તત્ત્વાવબોધ (‘વિચારસાર' માં ઉલ્લેખ છે.) ૫. દંડક બાલાવબોધ (નાહટાભંડાર, બિકાનેર) ૬. કુંભસ્થાપના ભાષા (ખરતરગચ્છભંડાર, જયપુર) ૭. નવસ્મરણ ટબ્બા ૮. દેશનાસાર ૯. ફુટ પ્રશ્નોત્તર. પ્રસ્તુત સંસ્કરણ જ્ઞાનમંજરી ટીકાનું સંશોધન કાર્ય ઘણું જટિલ હતું. આ પૂર્વે છપાયેલી જ્ઞાનમંજરીની અશુદ્ધિઓ બાબત પં. ભગવાનદાસે લખ્યું છે કે “જ્ઞાનમંજરી ટીકાનો અનુવાદ કરવામાં “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ' તરફથી પ્રકાશિત થયેલ “શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ પહેલામાં મુદ્રિત થયેલ જ્ઞાનમંજરી ટીકાનો ઉપયોગ કર્યો છે. પણ તે પુસ્તક ઘણુ અશુદ્ધ છપાયેલું હોવાથી અને કેટલાક પાઠો રહી ગયેલા હોવાથી અનુવાદ (૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy