SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા જૈન આત્માનંદસભા તરફથી પણ વિ.સં. ૧૯૭૧ માં પ્રકાશિત થયેલ છે. ગ્રંથકારશ્રીએ જ્ઞાનમંજરીના મંગલાચરણમાં જણાવ્યું છે કે ટીકાની રચના પૂર્વર્ષિઓના વચનામૃતના આધારે કરી છે. પોતાની લઘુતા બતાવતા ટીકાકાર લખે છે કે – “મારાથી વધુ ઉપકારયોગ્ય પાત્ર આ દુનિયામાં કોઈ નથી.” જ્ઞાનમંજરીમાં જ્ઞાનસારના અષ્ટકના પૂર્ણતા વગેરે નામની ૭ નય અને ૪ નિપાથી ચર્ચા કરી છે. ટીકાકારે પ્રજ્ઞાપના સૂત્ર, ઉત્તરાધ્યયન, ભગવતીસૂત્ર જેવા આગમ ગ્રંથોની સાક્ષીઓ આપી છે. ધ્યાનશતક, ધ્યાનપ્રકાશ, યોગશાસ્ત્ર, યોગદષ્ટિસમુચ્ચય જેવા ધ્યાન અને યોગવિષયક ગ્રંથો અને વિશેષાવશ્યકભાષ્ય સન્મતિતર્ક આવશ્યકનિર્યુક્તિ જેવા દાર્શનિક ગ્રંથોને પણ પ્રસંગે પ્રસંગે ટાંક્યા છે. ટીકાકારશ્રીની બહુશ્રુતતા અહીં સ્પષ્ટ ઝળકે છે. વિષયને સ્પષ્ટ કરવા દેવચન્દ્રજીએ દૃષ્ટાંતો પણ રજૂ કર્યા છે. ઉપમાઓ દ્વારા પણ વક્તવ્યને વધુ વિશદ કર્યું છે. ૨૨માં અષ્ટકમાં ગ્રંથકારે સંસારને સાગરની ઉપમા આપીને રોમાંચક દશ્ય ખડું કર્યું છે. ટીકાકારે ચારિત્રને વહાણની ઉપમા આપી એના અંગો અને ચારિત્રના પ્રકારો જોડે જે સંયોજના કરી છે તે ખૂબ અસરકારક છે. સમગ્ર રૂપે જોઈએ તો આ ટીકાના અધ્યયનથી દાર્શનિક, આધ્યાત્મિક અને સાહિત્યરૂપી ત્રિવેણીમાં સ્નાન કર્યાનો આનંદ આવે ગંભીરવિજયકૃતટીકા : તપાગચ્છીય શ્રી વૃદ્ધિવિજયજીના શિષ્યશ્રી ગંભીરવિજયગણિવરે વિ.સં. ૧૯૫૪માં જ્ઞાનસાર ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકાનું પ્રકાશન જૈનધર્મ પ્રસારક સભાએ વિ.સં. ૧૯૬૯માં કર્યું છે. આ ટીકાનો દીપચંદ છગનલાલે કરેલ ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૫૫ માં અને બાલચંદ હીરાચંદે કરેલ મરાઠી અનુવાદ માલેગાઁવથી પ્રસિદ્ધ થયેલ છે. (૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy