SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ II વાર્તાય નમઃ | પ્રાકથન વિ. સં. ૧૯૮૭ની સાલમાં “શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ' તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન” ભરવામાં આવ્યું હતું. તે સમયે તેની વ્યવસ્થાપક સમિતિ તરફથી ચિત્રકળા, લેખનકળા તથા મંત્રમંત્રાદિ વિભાગના નિરરી સેક્રેટરી તરીકે મારી નીમણુક કરવામાં આવેલી. એ પુણ્ય પ્રસંગે સેંકડો વર્ષોથી જેનભંડારોના ભૂમિગૃહમાં છુપાએલ સાહિત્યરશ્મિનું નિરીક્ષણ કરવાની અણમેલી તક પ્રથમવાર મને સાંપડી, અને જેમ જેમ તે સાહિત્યરશ્મિનું બારીકાઈથી હું નિરીક્ષણ કરતો ગયે તેમ તેમ તે રશ્મિના સર્જક જૈનાચાર્યો તેમજ ધર્મધુરંધર સાધુવરે તરફ પૂજ્ય અને પવિત્ર ભાવે વધતો ગયે-સાથે સાથે તે સાહિત્યરશ્મિને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીશ્વરો તથા જૈન શ્રેષિએ તરફ પણ માનની લાગણી ઉત્પન્ન થઈફ -એકલે પૂજ્ય અને પવિત્ર ભાવ ઉત્પન્ન થયો એટલું જ નહિ, પરંતુ તે પૂજ્ય મહાનુભાવોએ વિશાળ દષ્ટિથી અને આત્મકલ્યાણની પવિત્ર ભાવનાથી સર્જન કરેલાં અને જગતમાત્રના કલ્યાણની ભાવનાથી આશ્રય આપીને આજ સુધી સાચવી રાખેલાં તે સાહિત્યરશ્મિના વારસાનો નાશ થત અટકાવવા, તેના વારસદારને તેની ખરી કિંમત સમજાવવા મારા મનમાં નિશ્ચય બંધાય. મારા આ નિશ્ચયના પરિણામે જ ચાલુ સાલ શિયાળામાં લગભગ અગિયાર હજાર રૂપિઆને ખર્ચ કરીને “જેનચિત્રકલ્પદ્રુમ” નામને બહુમૂલ્ય ગ્રંથ જેને જનતા સમક્ષ રજૂ કરી શકે અને તે ગ્રંથમાં જ પાટણના પ્રાચીન જ્ઞાન ભંડારના દસ દસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસ અથાગ મહેનત કરીને “લેખનકળાના વિષય ઉપર અજવાળું પાડતા વિદ્વદર્ય મુનિમહારાજ શ્રીપુણ્ય
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy