SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પોતાના પૂર્વભવના ચિરત્રને સંભારી સંભારીને મુનિરાજને કહેવા લાગ્યા કે– ‘હે ભગવન્ ! તમોએ અમારું ચરિત્ર યથાર્થ રીતે કહ્યું છે; અને તેજ પ્રમાણે અમે જાતિસ્મરણથી જાણી પણ લીધું છે.’ પછી પેલી દુ:ખી સ્ત્રીએ કુંભશ્રીને નમીને તેને પગે વળગી પોતાનો પૂર્વભવનો અપરાધ ખમાવ્યો, અને કહ્યું કે ‘હે મહાસતી ! તમે મારા મસ્તક ઉપરથી આ વ્યાધિનો ઘડો કરુણા સાથે ઉતારો અને આત્માનું હિત કરો,’ એ પ્રમાણે કહેવાથી કુંભશ્રીએ પોતાના કરવડે તેના મસ્તક ઉપર સ્પર્શ કર્યો, જેથી તેના મસ્તક ઉપર રહેલો વ્યાધિનો ઘડો ઉતરી ગયો. આ પ્રમાણે પોતાની પુત્રીનું ચિરત્ર જાણીને નગરજનો સહિત રાજા પ્રતિદિવસ ભક્તિવડે શ્રીજિનેશ્વરભગવંતની જળપૂજા કરવામાં ઉજમાળ થયા અને કુંભશ્રી પણ નિત્ય નિર્મળ જળથી ભરેલા સુવર્ણના કુંભવડે શ્રીજિનેશ્વરભગવંતને ત્રિકાળ મજ્જન કરાવવા લાગી. પેલી દુર્ગતા સ્ત્રી શુદ્ધ મને કરીને સાધ્વી થઈ અને પંચ મહાવ્રતને ધારણ કરી જનસંકુળ એવી પૃથ્વીમાં ગુરુણીની સાથે વિહાર કરવા લાગી. મહાત્મા એવા આચાર્ય પણ ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપી પ્રતિબંધરહિતપણે ગામ નગર તથા ખાણો વગેરેથી સુશોભિત એવી પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. કુંભશ્રી આયુષ્યને અંતે શુદ્ધ પરિણામે મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાં દેવસંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ અનુક્રમે દેવ તથા મનુષ્યના સુખ અનુભવી શ્રીજિનેશ્વરભગવંતની જળપૂજા કરવાના પ્રભાવથી પાંચમે ભવે સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓ શ્રીવીતરાગપ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવાથી વિઘ્ન રહિત અને નિત્ય સુખવાળા શાશ્વત સ્થાનને પામે છે. જલપૂજા વિષે વિપ્રસુતાની કથા સંપૂર્ણ ૧. માથા ઉપર રસોળીની જેવો ઘડાનો આકાર થયેલો તે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy