SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથશ્યા પાછળ કાંઇક અગમ્યવાલ ફાગણ વદ. ૭ ની રાત્રી હતી. નિરવશાંતિમાં નવકારનું સ્મરણ ચાલતું હતું. અંતરમાંથી નાદ ઉછળ્યો શીલાંગરથની ૧૮૦૦૦ ગાથા બનાવ. અને હું આશ્ચર્યથી આનંદિત થઇ. પ્રભાતકાલે કલ્પના સોસાયટીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીના દર્શનાદિ કરી, હાથમાં કલમ લઇ રચનાનો પ્રારંભ કર્યો. મેં મારી શક્તિનો પણ વિચાર કર્યો નથી. હાં ! આ સંકેતપૂર્વે પૂ. સર્વશશાસ્ત્ર-પરમાર્થવેદી પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિ મ.સા.નું શ્રાદ્ધ દિનકૃત્ય પુસ્તક વાંચન કરેલ, તેમાં શીલાંગરથની ગાથા વાંચેલ. તે સ્મૃતિપથમાં હતી. શબ્દોની ફેરબદલી કરી ગાથા રચવાની વિચારણા આગળ વધારી. તે વખતે જરૂરી લેખનની સામગ્રી સીસોદરા, કલ્પના સોસાયટી, નવસારીની શ્રાવિકાબહેનોને. સત્યમ્ નગરના શ્રાવક શ્રાવિકાને વાત કરતાં તૂર્ત લાવી આપી. પછી મે પૂ.આ.ભ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. ખંભાત બિરાજમાન હતા, તેમના શુભાશિષ મેળવી આ કાર્ય લગભગ અલ્પદિનોમાં પૂર્ણ કર્યું. આ શ્રી શીલાંગરથસૂત્રની ગાથાની રચના મેં પોતાની બુદ્ધિની હોંશિયારી પ્રગટ ક૨વા કે વાણીની ચતુરાઇ પ્રગટ ક૨વા માટે કરી નથી. પણ દિવ્યાત્માઓની કૃપાથી, તાત્ત્વિક અભ્યાસના અનુરાગથી સુકૃતીપાર્જન કરી મારા વડીલો પ્રત્યેના અહોભાવથી કાંઇ સમર્પણ કરવાના ભાવથી આ શ્રી શીલાંગરથની રચના કરી છે. શ્રુતભક્તિનો લાભ મને શાસનદેવોની કૃપાથી પ્રાપ્ત થાય તે ઇચ્છનીય... રચના સ્થળ કલ્પના સોસાયટી, સંવત ૨૦૫૮ ફા.વદ ૭ ગુરુવાર રવિયોગ. २ લિ. તપસ્વીરત્ના પૂ.ગુ. શ્રી જયપ્રક્ષાશ્રીજીના શિષ્યા શ્રી સૌમ્યજ્યોતિ. સમાપ્તિ સ્થળ શ્રી કુંથુનાથ સ્વામી પ્રાસાદ શ્રી ભીડભંજન પાર્શ્વ પ્રભુની છત્રછાયા સીસોદરા (ગ.વ.)
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy