SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પાચમઠા સંશોધકો માટે @ અકારાદિકમાં જે માટે અમત નાજિક અકારાદિક્રમનું સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રકાશન એ જ સાહિત્ય જગતમાં એક આશ્ચર્યકારી, અપૂર્વ અને અદભુત ઘટના છે. સાહિત્ય જગતની સાથે જેને સ્નાન-સૂતકનો ય સંબંધ ન હોય તેવી વ્યક્તિઓ માટે “અકારાદિક્રમે'નું વર્ણન કરવું ય નિરર્થક બને તો કોઈ નવાઈ નથી. પરંતુ સાહિત્યસંશોધન, અધ્યયન-અધ્યાપનના ક્ષેત્રમાં રચ્યા-પચ્યા મહાનુભાવોને માટે ‘અકારાદિક્રમ’ અમૃતનું આચમન બની રહે છે. વિદ્વટ્વર્ગમાં એનું ઉંચું સ્થાન માન છે. એકાદ શાસપાઠનું મૂળ શોધવું હોય, તેના કર્તાનો પરિચય મેળવવો હોય, તે શામ્રપાઠની અશુદ્ધિઓ દૂર કરી શુદ્ધિકરણ કરવું હોય, એ જ શાસ્રપાઠ અન્ય કયા કયા ગ્રંથોમાં વપરાયો છે ? એની ભાળ મેળવવી. હોય, એ શાસપાઠ સંબંધિ તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ કાઢવો હોય તો અભ્યાસુ કે સંશોધક વ્યક્તિને સેંકડો ગ્રંથો, પુસ્તકો અને પ્રતોનું નિરીક્ષણ કરવું પડે છે. એ માટે ઠેર ઠેર પથરાયેલા જ્ઞાનભંડારો અને શાસ્ત્રસંગ્રાહકોના સંપર્કો કરી, એના સૂચિપત્રો મેળવી, એ ગ્રંથાદિ મેળવી, એના સેંકડો પાનાઓ ફેરવી, કલાકો અને દિવસો સુધી ચકોરબુદ્ધિથી વાંચન કરી શાસપાઠનો સ્રોત ગોતી કાઢવો પડતો હોય છે. દરેકને આ બધાં સાધનો હાથવગાં હોતાં નથી. ઘણા સંપર્કો બાદ પણ જોઈતા ગ્રંથો મળતા નથી. દરેક ગ્રંથમાં અકારાદિક્રમ પણ અપાયેલો હોતો નથી. દરેક ગ્રંથોની સંપાદનાદિ શૈલી પણ જુદી જુદી હોય છે. આવા અઢળક પ્રશ્નોથી થાકેલા સંશોધકોનો સંશોધનનો ઉત્સાહ મંદ પડી જાય છે. અભ્યાસકોની આતુરતાનો પણ અંત આવી જતો હોય છે. આવું કાંઈ ન બને અને એમની સાહિત્ય સાધના નિરંતરાય બને એ માટેનો આ એક ઉપક્રમ છેઃ અકારાદિક્રમનું સંપાદન ! વર્ષોની ભારે જહેમત ઉઠાવીને આ મુનિએ આ કાર્ય સંપન્ન કરી બતાવ્યું છે. આગમાદિ ગ્રંથો, પ્રાકૃત ગ્રંથો, સંસ્કૃત ગ્રંથો, ત્રિષષ્ટિ ને વૈરાગ્યરતિ
SR No.002422
Book TitlePrakrit Padyanam Akaradikramen Anukramanika 02
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages446
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy