SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ર नमोऽस्तु तस्मै तव शासनाय ।। । आगमो गुणरत्नरत्नाकरः ।। अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं। सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवतइ ॥९२॥ (आवश्यक नियुक्ति) અનાદિકાળમાં અનંતી ચોવિશીઓ થઈ ગઈ અનંતા તીર્થકર ભગવંતો પણ થઈ ગયા. અનંતાનંત ગણધરો થઈ ગયા. અનંતી દ્વાદશાંગીઓ પણ થઈ ગઈ. વર્તમાન ચોવિશીમાં ૧૪૫ર ગણધર ભગવંતો થઈ ગયા. ૧૪૫૨ દ્વાદશાંગીઓ રચાણી આમ ભરતક્ષેત્રની અપેક્ષાએ દ્વાદશાંગી અર્થથી શાશ્વતી' અને સૂત્રથી અશાશ્વતી છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ ઉભય રીતે દ્વાદશાંગી શાશ્વતી છે. પરમતારક શ્રીઅરિહંત પરમાત્માઓ પૂર્વના ત્રીજા ભવની ઉત્કૃષ્ટ સાધનાના પ્રતાપે શ્રી તીર્થકર બની કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરી ધર્મતીર્થની સ્થાપના કરે છે. તે સમયે પ્રભુના વદન કમલથી ત્રિપદી પામીને બીજ બુદ્ધિના ધણી એવા શ્રી ગણધર ભગવંતો અન્તર્મુહૂર્તમાં ૨૦,૦૦,૮૬,૬૮,૦૫,૬૦૦ પદ પ્રમાણ દ્વાદશાંગીની રચના કરે છે. વર્તમાન કાલીન સમગ્ર શ્રુતસંપદાના ઉગમસ્થાન પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી છે.' - આ દ્વાદશાંગીને પામીને શ્રુતસ્થવિરો-પ્રત્યેકબુદ્ધો પૂર્વધરો દ્વારા પ્રભુની દેશનાનો સાર આગમ ગ્રંથોમાં સંગૃહીત થતો હોય છે. પ્રભુના સમયે દ્વાદશાંગી સહિત ૭૬ આગમ ગ્રંથો હતા. ત્યારબાદ ૫૦૦ વર્ષના १. इच्चेइयं दुवालसंगं गणिपिडगं न कयाइ नासी न कयाइ न भवइ न कयाइ न भविस्सइ भुवि च भवइ अ भविस्सइ अ धुवे નિયા સાસણ ગ9ણ મધ્વU અવંહિ નિર્વે... (નન્દ્રિસૂત્ર છેલ્લેથી ત્રીજો આલાવો.) ૨. દીક્ષા શિક્ષા દઈને, થાણા ગણધર નાણી, અન્તર્મુહૂર્તમાં રચી, દ્વાદશાંગી ગુણ ખાણી Ilall. કોડા કોડી વીશવળી, ઉપર છયાસી કોડ, અડસઠ લાખ હજાર પાંચ, પર્શત ઉપર જોડ ll૪ો. (-સોહમકુલ કલ્પવૃક્ષ-ગણધરદેવવંદન, ચોથા દેવવંદનનું ચૈત્યવંદન.) ૩. એક પદ કેટલા શ્લોકનું થાય? - ૫૧,૦૮,૮૬,૮૪૦ શ્લોકનું એક પદ થાય છે. (-જૈનશ્રેયસ્કરમંડળ પ્રકાશિત કર્મગ્રંથ સાર્થભાગ-૧ કર્મ-૧ પેજ ૧૭) ४. ब्रवीमीति सुधर्मास्वामी जम्बूस्वामिनं प्रत्याह ब्रवीम्यहं तीर्थंकराज्ञया न स्वमनीषिकया, स चाहं ब्रवीमि येन मया तीर्थंकरसकाशाच्च्छ्रुतम्॥ (-સૂયગડાંગસૂત્ર શીલાંકાચાર્યવૃત્તિ પૃ.૩૦) પ-૬.ગણધર દ્વાદશાંગી માંહીએ, છોતેર સૂત્રબનાય, વીરથી પાંચસેવરસમાંએ, સૂત્રચોરાશી લખાયllll નંદી સૂત્રમાંહે કહ્યા એ, સૂત્રચોરાશી નામ, એ શ્રુતની ભગતી કરો શુભગતિનોવિશ્રામાશા . આજ પિસ્તાલીશ સૂત્રછે એ, નિર્યુક્તિ ચૂર્ણિભાષ્ય, ટીકાપંચાંગી ભલીએ, ઉત્તમજ્ઞાનપ્રકાશાટા (-સોહમકુલ કલ્પવૃક્ષ ગણધર દેવવંદન, પાંચમા દેવવંદનનું સ્તવન) / / \ \
SR No.002421
Book TitleAgam Padyanam Akaradikramen Anukramanika 01
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages258
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_index
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy