SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારીઓના ઉપકારની ઉપબૃહણા सुसंयमाभिलाषीनं गुरु राजेन्द्रसूरिणम् । नत्वा तेषाञ्च पार्श्वेऽहं याचे शश्वन्निरीहताम् ॥ સર્વતોમુખી પ્રતિભાસંપન્ન કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ.આ.વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. : પૂજ્યશ્રીનો ઉપકાર સદાય અવિસ્મરણીય રહેશે. જેઓની કૃપાષ્ટિને કારણે જ આ ગ્રંથનું સર્જન થયું છે વળી, ગ્રંથમાં આશીર્વચનો આપીને જેમણે ગ્રંથને જીવંત બનાવ્યો છે. સૂરિમંત્ર સમારાધક રાજશેખરસૂરીશ્વરજી મ.સા. : જેમણે ભણાવવા માટેની ખૂબ જ અનુકૂળતા ઊભી કરી આપી મને અધ્યયન માટે પ્રોત્સાહિત કર્યો. શાસન પ્રભાવક રત્નાકરસૂરીશ્વરજી મ.સા. : સ્વાધ્યાય માટેની તેમની સતત પ્રેરણા મારા ઉપર રહેલી છે. સંયમરસિક ગુરુદેવ ૫.પૂ. પન્યાસ પ્ર. રાજપદ્મ વિજયજી ગણિ : જેમનો ઉપકાર મારા ઉપર અતૂટ રહ્યો છે જેમણે મારા જીવનનું જ નહી પરંતુ સંયમજીવનનું પણ સુંદર રીતે ઘડતર કર્યુ છે. જ્ઞાનોપાર્જન માટે જે રુચિ પ્રગટી છે તેમાં કારણ પરમોપકારી ગુરુદેવ જ છે. સંધાચાર ભાષ્ય ઉપર સંશોધન અને ગુજરાતીનું પોતાનું કાર્ય ચાલુ હોવા છતાં તેને ગૌણ બનાવીને ગ્રંથમાં ક્યાંય પણ વ્યાકરણ સંબંધી ખામી ન રહી જાય તેના માટે સાદ્યન્ત ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy