SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशाधिकार प्रकरणम् ૧. પૂજ્ય જ્યોતિર્વિદ મુનિપ્રવર શ્રી હેમેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અબ્રામાના વતની, પિતાશ્રી માતાશ્રીના લાડકવાયા વૈરાગી બની પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય બની સંયમની સાધના શરૂ કરી. તેમની જ્ઞાનાભ્યાસની મસ્તતા અજોડ હતી. જ્યોતિષ અને આગમનું તલસ્પર્શી જ્ઞાન પ્રશંસનીય હતું. એમની પ્રેરણાના પુષ્પરૂપ આ પુસ્તકનું પ્રકાશન છે. ઘણા કાળ સંયમ સાધના કરી ફણસા મુકામે સ્વર્ગવાસી બન્યા. ધન્ય હો એ પુણ્યાત્માને ! ધન્ય હો એમના માતા-પિતાને ! વંદન કરીએ ભાવે... ૨. પૂજ્ય મુનિરાજ શ્રી હેતવિજયજી મહારાજ સાહેબ ५ જેઓના પિતાશ્રી ગુલાબચંદભાઈ, માતાશ્રી દેવીબેનની કુક્ષીથી માનવભવ લહી ધર્મસંસ્કાર તપ ત્યાગાદિની જીવનમાં આચરણાના પ્રભાવે સુખી ઘરના નબીરા છતાં વૈરાગ્યવાસી બની પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમગીતાર્થ પૂ.પં. શ્રી હેમંત વિજય ગણિવર્ય (પાછળથી આચાર્યદેવશ્રી હીરસૂરિ મ.)ના શિષ્ય તરીકે વૃદ્ધવયમાં વિ.સ. ૨૦૧૮ કારતક વદ ૬ના શનિવારે સંયમી બની સુંદર સંયમ સાધના અને પ્રભુ ભક્તિ દ્વારા જીવનને નિર્મળ બનાવ્યું. વિ.સં. ૨૦૨૮નું ચાતુર્માસ પોતાના સંસારી વતન સિસોદરામાં ૫.પૂ. મુનિરાજ શ્રી લલિતશેખર વિ.મ. પ.પૂ. મુનિરાજ શ્રી રાજશેખર વિ.મ. તથા પ.પૂ. મુનિરાજ શ્રી વિનય વિ.મ.ની સાથે થયું, તે ચાતુર્માસમાં આ.સુ. ૧૦ના રોજ તેઓશ્રીનો દેહવિલય થયો. અર્થાત, કાળધર્મ પામી સ્વર્ગવાસી બન્યા. એજ પુણ્યાત્માની ધર્મભાવનાના પ્રતિક સમા આજે પણ ગામમાં શ્રી કુંથુનાથ ભગવાનનું જિનાલય અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું ઘ૨ દહેરાસર મૌજુદ છે. ૩. પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજ સાહેબ જેઓશ્રીના પિતાશ્રી ગુલાબચંદભાઈ તથા માતુશ્રીએ પુણ્યાત્મા બાલ્યવયથી ધર્મથી સંસ્કારિત અને દિક્ષાની ભાવનાવાળા છતાં કર્મયોગે સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. છતાં ધર્મમય જીવન અને સદ્ગુરુ સમાગમે વૈરાગ્ય જાગૃત થતાં વિ.સં. ૨૦૪૭માં વૈશાખ સુદ ૧૦નાં સિસોદરામાં સંયમ સ્વીકારી પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરી મ.સા. ના પ્રશિષ્ય પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરિ મ.સા.ના શિષ્યરત્ન બન્યા. મોટી વયે દિક્ષા ગ્રહણ કરી સંયમ સાધના તપ - ત્યાગાદિ ગુણોની પ્રાપ્તિ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધતાં પૃથ્વીતલે વિચરી રહ્યા છે. - ધન્ય હો ગુરૂભગવંતને ! ધન્ય હો માત - તાતને ! નમન કરીએ લળીલળી.
SR No.002217
Book TitleShodashadhikar Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages34
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy