SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જિનશાસનરત્ન ઝઘડો દૂર કર્યો સંવત ૨૦૧ની સાલમાં યુગવીર આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં મુંબઈમાં ઘાટકોપર ખાતે ઉપધાન તપને પ્રારંભ થયો. તે દિવસોમાં ગુરૂદેવનું સ્વાથ્ય બગડયું. ચરિત્ર નાયક વિહાર કરી પંજાબ તરફ જઈ રહ્યા હતા. ઉપધાનતપમાં ગુરૂદેવ તબીયતને લઈ ધ્યાન આપી શકે તેમ ન હતા. ડોકટરએ પણ વધુ પરિશ્રમ લેવાની ના પાડી. સૌના અભિપ્રાયથી ચરિત્ર નાયકને આગળ વિહાર ન કરતાં મુંબઈ આવવા માટે ગુરૂદેવે આજ્ઞા પત્ર મોકલ્યો. ચરિત્ર નાયક મુંબઈ પાછા ફર્યા. ઉપધાનતપનો ભવ્ય પ્રસંગ ગુરૂદેવની નિશ્રામાં સારી રીતે થયો. માળારે પણ ૩૦-૧-૫૪ના હતી. ૨૦૧ માળના તપસ્વીઓ હતા. આજે ઘાટકે પરના આંગણે માનવ મહેરામણ ઉમટી પડશે. હતે. સેંટ્રલ રેલ્વેએ બોરીબંદરથી ઘાટકેપર વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવી હતી. વિજયાનંદ નગરમાં પાટ ઉપર ચરિત્ર નાયક સાથે ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ આદિ બિરાજયા છે. આ સમયે માળની ઉછામણી બોલવામાં આવી. સભામાં થેડી ગરબડ ચાલુ થઈ. તપસ્વીઓની માળની બેલીની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાની વાત સ્પષ્ટ હતી. આમ છતાં અમૂક ભાઈઓએ માળની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે મંડપમાં જ વાત કરવા લાગ્યા ગુરૂદેવનું સ્વાસ્થ બરાબર ન હોઈ આ પુનિત પ્રસંગે સંદેશ મોકલેલ હતો. જેમાં તેઓશ્રીએ જણાવેલ કે, “ચાલુ આનંદને અનુભવ નથી લઈ શકતા પરંતુ મારા પ્રતિનિધી તરીકે પધારેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy