SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ જિનશાસનરત્ન હસ્તિનાપુરમાં દર્શન થયા. અમે વંદના ગયા. આચાર્યશ્રીએ ચિરપરિચિત વ્યક્તિ સમક્ષ અમને બોલાવ્યા અને આદેશ આપે “આજે તમારે વ્યાખ્યાન આપવાનું છું. હું મૌન રહી, મને સંકેચ થતું હતું. પણ આચાર્યશ્રીએ કહ્યું, મારી આજ્ઞા નહિ માને શું!” મેં કહ્યું, “ગુરુદેવ, અમે સાંભળવા આવ્યા છીએ. મને નથી આવડતું.” આચાર્યશ્રીએ ભારપૂર્વક કહ્યું હું તમને ઓળખું છું. મારું કહેવું માનવું પડશે.” “આપ ન પધારશે. હું આપની આજ્ઞા પાળીશ.” “પણ હું તે જરૂર આવીશ, અને મુનિશ્રી જનકવિજયજી પણ પ્રવચન કરશે.” પણ ટ્રસ્ટીઓએ કહ્યું “સમય સાંજને છે. અને સ્વામી વાત્સલ્ય છે. વ્યાખ્યાન કેવી રીતે ગોઠવાશે ?” - આચાર્યશ્રીએ જોરદાર સ્વરમાં કહ્યું “વ્યાખ્યાન થશે જ. તૈયારી કરે.” સૂચના મળતાં જ સેંકડો શ્રાવક શ્રાવિકાઓ મંડપમાં ઉમટી આવ્યા. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. મુનિશ્રી જનક વિજયજીને ટુંકુ પ્રવચન કર્યું. સાધ્વી નિર્મળાશ્રીજીએ મધુર ભાષામાં પ્રેરક પ્રવચન કર્યું. સભા મુગ્ધ થઈ ગઈ. ફરી મને બોલાવીને કેટલીએ સાદેવી સમાજના ઉત્કર્ષ માટે સૂચનાઓ કરી. આજ એ મધુર સમરણે ભૂલાતાં નથી. તેમની ઉદાત્ત વિચારધારાઓ સાથ્વી ગણને આગળ વધારવાના તેમના પ્રયાસે સ્વપર સમુદાયને ભેદરહિત દષ્ટિકોણ ખરેખર પ્રશંસનીય છે. આવા સ્વ. ગુરુજી સૌમ્ય અને સરલ હતા. સત્કર્તવ્ય તેમના જીવનને વિશિષ્ટ પ્રકાશ હતે. S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy