SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જિનશાસનરત્ન સ્વાધીનતા પછી સંકીર્ણતા, સંક્ષેભ, અહંકારવાળી વ્યક્તિ સમાજને સચેતન અને શક્તિશાળી રાખી ન શકે. આજે ઉદારતા, નમ્રતા, સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવવાળા વ્યક્તિત્વની આવશ્યકતા છે. ગુરુ સમુદ્રમાં આ બધા ગુણેને સમાવેશ હતું. ચાલીસ ચાલીસ વર્ષ સમતા રસમય ગુરુસેવા એ સ્વયં મરણીય વ્યક્તિત્વનું ઘોતક છે. શું આ ચાલીસ વર્ષમા કદી ગુરુદેવનાં કડવાં વચન નહિ સાંભળવાં પડયાં હેય? શું કદી આરામની ઈચ્છા નહિ થઈ હેય? પરંતુ જેમણે પિતાનું વ્યક્તિત્વ ગુરુદેવના વ્યક્તિત્વમાં સંલગ્ન કરી દીધું હતું તેમને માટે આ બધું નિરર્થક શૂન્ય જેવું હતું. ગુરુની સત્તા એ જ જેની સત્તા છે, ગુરુને ભાવ એ જ જેના ભાવ છે, ગુરુને આદર્શ એ જ જેને આદર્શ છે, ગુરુની મનભાવન એજ જેની મનેભાવના છે-તેવા ગુરુ સમુદ્ર સૂરિજીની પેતાની હસ્તી આ રીતે ગુરુના ચરણમાં આનંદમયી હતી. જે રીતે સમુદ્રના તરંગે સમુદ્રના જળમાં વિલીન થઈ જાય છે તે જ રીતે ગુરુના જીવનમાં તેમનું જીવન વિલીન ઇબન્યું હતું. આવું આત્મસમર્પણ વિરલ વ્યક્તિત્વને નિધિ હોય છે. સર્વોચ્ચ શ્રમણ પદ પ્રાપ્ત થવા છતાં બાળક જેવા વિનમ્ર, સૌમ્ય, અને પ્રશાંત હતા, પોતાના ભકતે અને હજારો શ્રોતાએને “ભાગ્ય શાળીઓ’ કહેતાં કહેતાં તેમની જીડુવા પર મધુસુધા આવી બિરાજતી. તેમના વ્યક્તિત્વ પ્રત્યેક સમુદાયના સાધુ મહાત્માઓ તથા શ્રાવકેમાં આપ્તજન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્થાનકવાસી સંઘના પ્રધાન પૂજ્યશ્રી આત્મારામજી મહારાજ, પ્રધાનાચાર્ય શ્રી આનંદ ત્રાષિજી મહારાજ, તેરાપંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy