SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જિનશાસનની વર્ષ પહેલાં ચિત્ર સુદ એકમના રોજ થયે હતે. પિતાના ઉપકારી ગુરુદેવના જન્મસ્થાનમાં આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીજી મહારાજની તબિયતની પ્રતિકૂળતા છતાં ચૈત્ર સુદ ૧ તા. ૩૧-૩-૭૬ ના રોજ લહેરા પધાર્યા હતા, દાદાગુરૂની મૂર્તિનાં દર્શન કરતાં કરતાં હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. જીરાથી દેઢ માઈલ દૂર ગુરુ પ્રત્યેને ભક્તિભાવ પ્રગટ કરવા હજારો. ભાઈ–બહેને યાદ વિહાર કરીને આચાર્યશ્રી સાથે આવ્યાં હતાં. લહેરા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી ભજન–મંડળીઓએ ગુરુભક્તિના ગીતે સંભલાવી અનેરો ઉત્સાહ રેલાવ્યું હતું. હાલા રામલાલજી દિલ્હી નિવાસી આજના મુખ્ય મહેમાન હોઈ તેઓને અભિનંદનપત્ર જીરા સંઘવતી લાલા મદનલાલજીએ અર્પણ કર્યું હતું આગરા નિવાસી લાલા કપૂરચંદજી, લાલાધર્મપાલ, લાલા હીરાલાલજી લાલજી, લાલા મેઘરાજજી, લાલા બળદેવ લાલજી પ્રો. રામકુમાર જેન, પન્યાસ જયવિજયજી, બાલમુનિઓ, સાધ્વી નિર્મળાશ્રીજી આદિએ પ્રાસંગિક પ્રવચનમાં પૂ-ગુરુ ભગવંતનાં જીવનકાર્યો પર પ્રકાશ પાડે હતે. આ સભામાં શ્રી શ્રવણસિંહ, સુંદરસિંગ, જંગલસિંગ, દિલિપસિંગ, મેટાસિંગ અને વિચંમદજીએ હંમેશ માટે માંસ -શરાબ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી અને ગામમાં માંસ - શરાબ ત્યાગ કરવા સૌને સમજાવાની જાહેરાત કરી હતી. આ છ ભાઈઓને લાલા રામલાલજીએ ચાંદીના સિક્કા આવ્યા હતા. લહેરા ગ્રામ પંચાયત તરફથી એક સભા થઈ હતી. ગુરૂદેવના ગુણાનુવાદ કરવા આત્માનંદ જૈન સભા તરફથી ડિસ્પેન્સરી ખેલવાનું નકકી કર્યું હતું. શ્રી વલ્લભ યુવક મંડળ લુધિયાના તરફથી આંખેની સારવાર માટે ફ્રી કેમ્પની યોજના થઈ હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy