SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણી-૪ દેવગિરિના જિનપ્રાસાદના અવશેષો દેવગિરિ એટલે મહારાષ્ટ્ર માં આવેલું વર્તમાન દૌલતાબાદ, આ દેવગિરિનો પહાડી કિલ્લો એની ઊંચાઈ, શત્રને અંદર પેસતાં અટકાવે એવી ભુલભુલામણી જેવી અટપટી રચના અને એની વજ જેવી મજબૂતાઈને કારણે ખૂબ જાણીતો છે. આવા સુરક્ષિત અને સંરક્ષણ માટેની આદર્શ-અદ્ ભુત જોગવાઈને કારણે, ભારતના ગણ્યાગાંઠયા કિલ્લાઓમાં એની ગણના થાય છે. દેવગિરિના આ ઐતિહાસિક અને અત્યારે પણ અખંડ રૂપમાં સચવાઈ રહેલ આ કિલ્લાનું-એની વિશિષ્ટતાનું-આબેહુબ વર્ણન, . શ્રીયુત બિહારીલાલ ટાંકે પોતાના એક લેખમાં કર્યું છે. એમનો આ લેખ અમદાવાદથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ “કુમાર” માસિકના સને ૧૯૭૮ના જૂન માસના અંકમાં (સળંગ ૬ ૫૪મા અંકમાં) છપાયો છે. આ લેખમાં એક મંદિરનું મસ્જિદમાં અને એ મસ્જિદનું ભારત માતાના મંદિરમાં રૂપાંતર થયાની હકીકત બહુ જ સંક્ષેપમાં નોંધવામાં આવી છે. આ લેખ વાંચતાં આ કિલ્લા સંબંધી અને આ મંદિર સંબંધી જે માહિતી મળે છે, તે ટૂંકમાં અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે – ૨ ૧ ૩ પુરવણી-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy