SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે પત્નીઓએ સરસ રસોઈ બનાવી અને સુસજ્જ થઈને પીરસવા લાગી. પરંતુ મંત્રીએ પત્નીઓને શિખામણ આપી રાખી હતી કે પીરસીને આઘા ઊભા રહેવું અને પૂછ્યા વગર કોઈએ બોલવું નહિ. વળી રાજા તમને કંઈ પૂછે તો પહેલાં તો તમારા વતી તરત હું જવાબ આપી દઈશ. તમારે મૌન રાખવું. ‘તમે બોલતાં શરમાવ છો એમ હું કહીશ.' ચારે પત્નીઓએ એ શિખામણ સ્વીકારી લીધી. રાજા પત્નીઓને કંઈ પણ પૂછે કે તરત મંત્રી જવાબ આપી દેતા. રાજાને થયું કે હવે કંઈક યુક્તિ કરવી જોઈશે. એણે જમતાં જમતાં રસોઈનાં વખાણ કર્યાં અને કહ્યું : ‘આજે વડાં બહુ જ સરસ થયાં છે. આવાં વડાં તો જિંદગીમાં મેં ક્યારેય ખાધાં નથી.’ રાજાને મોઢે વડાંની પ્રશંસા સાંભળી વડાં બનાવનાર બોબડી પત્નીથી રહેવાયું નહિ. એ તરત બોલી, ‘એ વયાં તો મેં કયાં છે.' (એ વડાં તો મેં કર્યાં છે.) ત્યાં બીજી પત્નીએ તરત એને ઠપકો આપતાં કહ્યું, ‘ના કઈ તી ને ચેમ બોઈ ?' (ના કહી હતી તો કેમ બોલી ?) ત્યાં ત્રીજી બોલી ઊઠી, ‘એ તો બોઈ તો બોઈ પણ તું ચેમ બોઈ ?' (એ તો બોલી તો બોલી, પણ તું કેમ બોલી ?) ત્યાં ચોથી બોલી, ‘એ બોઈ, પણ હું તો બોઈય નથી અને ચાઈય નથી.' (એ બોલી, પણ હું તો બોલી પણ નથી અને ચાલી પણ નથી.) આમ ચારે બોબડી પત્નીઓ ન પૂછવા છતાં બોલી અને મંત્રી ઝંખવાણો થઈ ગયો. આ તો દૃષ્ટાન્તરૂપે ટુચકો છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની પ્રશંસા વખતે માણસથી રહેવાતું નથી, ન બોલવાનું હોય તોપણ બોલાઈ જાય છે. મૌનનો પણ ભંગ થઈ જાય છે. જ્યારે કોઈ શિક્ષણવર્ગમાં, ચર્ચાસભામાં પ્રશ્ન પૂછવામાં આવે अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । Jain Education International For Private & Personal Use Only [ ૧૫૧ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy