SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જો મળશે તો પણ ઉઠાવેલો આ શ્રમ સાર્થક છે એવો અમારો દૃઢ સંકલ્પ ન હોત તો સડકની વાસ્તવિકતાએ અમને જબલપુર પાછા મોકલી દીધા હોત. * જબલપુરથી આશરે પચાસેક કિલોમીટર સિગ્રામપુર ગામ સુધીનો રસ્તો ધીરજની કસોટી કરે એવો હતો. પણ પછી સાધારણ સારો રસ્તો આવ્યો. ગાડીની ઝડપ વધારી શકાઈ. આ સાધારણ રસ્તો જો પહેલેથી મળ્યો હોત તો અમે એની કદર નહિ પણ નિંદા કરી હોત, પરંતુ આરંભના રસ્તાને પોતે શરમાવી શકે એટલો એ સારો હતો એથી એની અમે કદર કરી. એણે અમારા ઉત્સાહમાં ઉમેરો કર્યો. જોકે વચ્ચે વચ્ચે એ પણ મોટું બગાડતો. પણ એમ કરતાં અમે દમોહ સુધી પહોંચી ગયા. ' હવે દમોહથી કુંડલપુરની ૩૮ કિલોમીટરની સડક એક ગાડી જાય એટલી નાની સાંકડી હતી. પણ તેની હાલત ઘણી સારી હતી. વળી વરસાદ રહી ગયો હતો અને તડકો નીકળ્યો હતો. બંને બાજુ આંબાનાં ઘટાદાર વૃક્ષો આવતાં હતાં. આસપાસનું પ્રાકૃતિક દશ્ય રમણીય હતું અને વાતાવરણમાં શીતળતા હતી. એણે અમારા થાકને ઉતારી નાખ્યો. લગભગ સાડા બાર વાગે અમે કુંડલપુર પહોંચી ગયા. સામે પહાડ ઉપર મંદિરો અને નીચે તળેટીમાં પણ મંદિરો જોઈને કોઈ ભવ્ય તીર્થસ્થળે આવ્યા હોઈએ એવો અનુભવ આ સ્થળે પ્રવેશતાં જ થયો. કુંડલપુર અને કુંડલગિરિનું આગવું નૈસર્ગિક દશ્ય જ વિલક્ષણ અને ચિત્તપટ પર અંકિત થઈ જાય એવું છે. કુંડલગિરિ પહાડ આપણી આસપાસ જાણે વર્તુળ હોય એવો દેખાય છે. નીચે તળેટીમાં વિશાળ તળાવ છે. પહાડનો આકાર કુંડલ જેવો વર્તુળાકાર હોવાથી પ્રાચીન સમયમાં જ એનું નામ કુંડલગિરિ પડી ગયું હશે એમ મનાય છે. ૪ 1 Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy