SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૬, ૧૮૦, ૧૮૦૦ છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે: ૩ યોગ x ૩ કરણ ૪૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના x ૧૦ યતિ ધર્મ = ૧૮૦૦૦ શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે. શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે : મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે, દૂષમ કાલે પણ ગુણવંતા, વરતે શુભ અધ્યાસે. છઠું ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉં. ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે ? શ્રી ભદ્રબાહુસ્વામીએ દસવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં લખ્યું છે: ૩ર-પરિ–ગન્ના-સાર-નદત્ત-તરુકુળસમો ય નો રોફ ! સER-f1-રજિનત-વ-વીસમો નમો સમણો . શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ. સાધુ ભગવંત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ નમો લોએ સવ્વસાહૂણં Jain Education International [ ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy