SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ने हरंति तं वित्तं અર્થાતુ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય છે. આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુટ્ટી હોય) is always funny. હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ' જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા” અર્થાત્ માણસ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા પ્રમાણે નાનાં-મોટાં બધાં કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમેં, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ પ્રચલિત છે. પંચતંત્રમાં પણ કહ્યું છે : पूज्यते यदपूज्योऽपिं यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ॥ [દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે, મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ધનનો જ પ્રભાવ છે.] લક્ષ્મી સ્વભાવ ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે. લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ અનિશ્ચિત હોય છે. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્કૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy