SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ने हरंति तं वित्तं પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વશરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઈએ. વળી, એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા માટે સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય. પોતાનું ધન સ્વેચ્છાએ કોઈને આપ્યું ન હોય, પણ સંજોગો જ એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને છે. નિઃસંતાન માણસોના ધન ૫૨ ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે. પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઈ જવાના કિસ્સા પણ કેટલીય જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક ગબડી જતાં કેટલાયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક સરકારી કાયદો બદલાતાં કેટલાક આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ તકલીફમાં મુકાઈ જાય છે. આગ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે કેટલાય શ્રીમંતો હતા ન હતા થઈ જાય છે. કૉર્ટના એક લફરામાં માણસની જિંદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ નજર સામે બનતી વારંવાર જોવા મળે ત્યારે માણસ વિચારતો થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy