SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ به ૭ ه ૩ ૨ ૩ ૧ ૩ ૨ ૨ ૧ ૧ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૬ ૬ ૬ ૭ ૭ ૭ ૮ ૮ ૮ ૯ ૯ ૯ ه م ه ه ઇ ૦ ૦ ه می ૨ ૧ ૪ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૪ ૨ ૩ ૫ ૬ ૭ ૮ ૯ એક પણ પંક્તિ બેવડાય નહિ કે એક પણ રહી ન જાય એ રીતે નવ સંખ્યાના આમ ૪૦૩૨૦ કોઠા બનાવી શકાય, જેમાં છેલ્લા કોઠામાં છેલ્લી પંક્તિ તે પશ્ચાનુપૂર્વી ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ હોય. ખરેખર આટલા બધા કોઠા બનતા હશે કે કેમ તે સામાન્ય માણસના માન્યામાં ન આવે એવી વાત છે, પરંતુ ઉચ્ચ ગણિતના નિષ્ણાત માણસોને પૂછવાથી આ વાતની પ્રતીતિ થશે. અનાનુપૂર્વીનો કોઠો નજર સામે રાખી જાપ કરવાનો હોય તો આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચે પરમેષ્ઠિનો જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધીનો સંખ્યાંક લેવા જતાં પદનો જાપ નહિ થાય. તે પાંચ પદની અનાનુપૂર્વી નહિ બને અને કેટલાક કોઠાની છેલ્લી ઊભી લીટીમાં તો એક જ પદનું પુનરાવર્તન થશે. વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે તો તે જુદી વાત છે.) એકથી પાંચ સુધીના પદમાં પ્રત્યેક પદ માટે તેની સંખ્યાંક આપવામાં આવે છે અને તે સંખ્યાંક પ્રમાણે પદ બોલવાનું હોય છે. ઉદાહરણ તરીકે ૨, ૩, ૫, ૧, ૪ એ પ્રમાણે સંખ્યા આપેલી હોય તો તે વાંચતી વખતે તેના અનુક્રમે નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો લોએ સવ્વ સાહૂણં, નમો અરિહંતાણું અને નમો ઉવજ્જાયાણે એ પ્રમાણે બોલવું જોઈએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જાય છે, એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારોમાં ઓછું ભટકે છે અથવા ભટકતું બંધ થઈ જાય છે. પૂર્વાનપૂર્વે અનુસાર સીધા ક્રમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વીની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂર્વી ગણવાનો મહિમા ઘણો બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે પ૬ ૯ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy