SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનર્કીર્તિસૂરી કહે છે : तत्थ पढमाणुपुव्वी चरमा पच्छाणुपुब्बिया नेया । सेसा उ मज्झिमाओ अणाणुपुब्बिओ सव्वाओ ॥ એમાં પ્રથમ ભંગસંખ્યા તે આનુપૂર્વી પૂર્વનુપૂર્વી) છે. છેલ્લી ભંગ સંખ્યાને પશ્ચાનુપૂર્વી તરીકે જાણવી જોઈએ. મધ્યમાં આવેલી સર્વ ભંગસંખ્યા તે અનાનુપૂર્વી છે.] એટલા માટે જ નવકારમંત્રની આનુપૂર્વી એમ કહેવા કરતાં નવકારમંત્રની અનાનુપૂર્વી એમ કહેવું વધુ યોગ્ય છે. “નવકારમંત્રની આનુપૂર્વી એમ કહેવાથી તો સીધો નવકારમંત્ર બોલવાનો જ અર્થ થશે. એમાં અનાનુપૂર્વીનો અર્થ નહિ આવે, પરંતુ અનાનુપૂર્વમાં આનુપૂર્વીનો અર્થ પણ આવી જાય છે. આનુપૂર્વી સહિત અનાનુપૂર્વીની સંખ્યાને ગણિતની ભાષામાં Permutation & Combination કહેવામાં આવે છે. કોઈ પણ આપેલી સંખ્યાની આનુપૂર્વી સહિતની અનાનુપૂર્વીની કુલ સંખ્યા કાઢવી હોય તો તેની સાદી રીત એ છે કે પ્રત્યેક સંખ્યાનો ઉત્તરોત્તર ગુણાકાર કરતાં જવું જોઈએ. અને છેલ્લે જે જવાબ આવે તે અનાનુપૂર્વીની કુલ સંખ્યા ગણાય. ૧થી ૩ સુધીની અનાનુપૂર્વીની સંખ્યા કાઢવી હોય તો ૧ ૪ ૨ x ૩ = ૬ થાય. ૧ થી ૪ સુધીની સંખ્યાની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ ૪ ૨ x ૩ ૪ ૪ = ૨૪ થાય. નવકારમંત્રમાં પાંચ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ X ૨ x ૩ X ૪ x ૫ = ૧૨૦ થાય. નવપદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ X ૨ X ૩ ૪ ૪ ૪ ૫ x ૬ X ૭ X ૮ X ૯ = ૩,૬૨,૮૮૦ થાય. - શ્રી જિનકીર્તિસૂરિએ વિ.સં. ૧૪૯૭મા પંચપરમેષ્ઠિનમસ્કાર-મહાસ્તોત્રમ્ (અથવા શ્રી નમસ્કારસ્તવ) નામની કૃતિમાં આનુપૂર્વી–અનાનુપૂર્વી ગણિતની દૃષ્ટિએ કેવી રીતે ક્રમાનુસાર, ભૂલચૂક વગર બનાવવામાં આવે છે તે અઘરા વિષયની બહુ જ વિગતવાર સમજણ આપી છે. જૈન શાસ્ત્રકારોએ આવા ગાણિતિક વિષયમાં પણ કેટલું ઊંડાણથી વ્યવસ્થિત મનન-નિરૂપણ કર્યું છે તે આ કૃતિ જોવાથી જણાશે. નવકારમંત્રમાં પાંચ પદની અનાનુપૂર્વી કે નવપદની ૩૬ ૨૮૮૦ અનાનુપૂર્વી બનાવવાની હોય તો બે અનાનુપૂર્વી ભૂલમાં રહી ન જાય તે માટે ઘણી ચીવટ રાખવી પડે. જો ગાણિતિક પદ્ધતિ પ્રમાણે ક્રમાનુસાર અનાનુપૂર્વીના કોઠાઓ બનાવવામાં આવે તો એક પણ કોઠો રહી ન જાય અને ભૂલચૂક થાય નહિ. શ્રી જિનકીર્તિસૂરિએ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy