SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા મનોમન શાપ પણ આપે છે. વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યૌવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે “અહો! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.' ગમે તેટલી વય થઈ હોય તોપણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે : अंग गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ (અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોટું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઈને ચાલે છે. તોપણ ભવિષ્યની આશાઓ-ઇચ્છાઓને છોડતો નથી.]. વૈરાગ્યશતકમાં પણ કહ્યું છે કે : · अज्जं कल्लं पर परारिं पुरिसा चिंतति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति ॥ પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું આયુષ્ય અંજલિ ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.] એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડશો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે રૂપ નાઢિ પંgિ | પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે : अनित्याणि शरीराणि विभवो नैव शाश्थतः । नित्यं संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ॥ (શરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશાં પાસે આવીને બેઠ છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ ૨૮૨ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy