SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જૈન ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દૃઢ થાય છે. જેઓને ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ નહિ પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઈએ. અશુભ લેશ્યાઓના સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાથ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છે : तथापि शीतरुक्षो स्पर्शे आधानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शी उत्तराणां तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ । અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેશ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેગ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહરવાની ક્રિયા કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યાનસૂત્રમાં કહ્યું છે : तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया । अपसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठए मुणि ॥ આમ, આ વેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત વેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેયાઓમાં અવસ્થિત રહેવું. ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેશ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેગ્યામાં આવી જવું જોઈએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે. વેશ્યા ડ ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy