SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ, परे भवे अत्थि जीवस्स ॥ लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ परे भवे आत्थि जीवस्स । अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव । लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ॥ બધી જ લેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી લેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણવેળા એ આગામી ભવની લેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ ૫૨લોકમાં જાય છે. લેશ્યાની વ્યવસ્થા એવી છે કે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં તે પરિણત થાય છે. પરલોકમાં જે લેશ્યા પ્રાપ્ત થવાની હોય તે લેશ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલા માટે, ઉદાહરણ તરીકે, કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઉપરાંત વધારાના એક અંતમુહૂર્તની હોય છે. બીજી લેગ્યાઓમાં પણ તે પ્રમાણે સમજવું. મૃત્યુ પામનાર જીવની ગતિમાં લેશ્યાના યોગ અંગે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને જો નરક ગતિમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યાપરિણામ પણ તેવાં જ હોય છે. એવી રીતે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યાપરિણામ પણ તેવાં જ હોય છે. મૃત્યુ સમયે જીવની જે લેશ્મા હોય છે તેમાં પણ પરિણમનની તરતમતા સંભવી શકે છે. એટલે એ પ્રમાણે મરણના પ્રકા૨ સ્થાનાંગસૂત્રની ટીકામાં દર્શાવ્યા છે. મૃત્યુ સામે લેશ્યા જેમ છે તેમ જ અવસ્થિત રહે તો એને સ્થિત લેશ્યામરણ કહે છે. એ સમયે જો લેશ્યા સંકિષ્ટ થાય તો સંક્લિષ્ટ લેશ્યામરણ કહે છે અને મૃત્યુ સમયે લેશ્યાના પર્યાયો પ્રતિસમય વિશુદ્ધ થતા રહે તો તેને પર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણ સમયે લેશ્યા અવિશુદ્ધ ન થતી હોય તો અસંકિષ્ટલેશ્યામ૨ણ કહે છે અને પર્યાયોમાં વિશુદ્ધિ ન થતી હોય તો અપર્યવજાતલેશ્યામ૨ણ કહે છે. મરણના બાલમ૨ણ, પંડિતમરણ અને બાલપંડિતમ૨ણ તથા પંડિતબાલમ૨ણ એવા પ્રકારો પાડવામાં આવે છે. એ પ્રકાર અનુસાર એ સમયની લેશ્યાના પર્યાયોમાં લેશ્યા ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy