SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસ વેશ્યાયને ફેકેલી તેજોલેયાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો. એ જાણીને અને ગોશાલકને કિંઈ પણ ઈજા ન થયેલી જોઈને તેયાયને પોતાની ઉષ્ણ તેજલેયા પાછી ખેંચી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજોલેયા હોય તો ફેંકેલી લેયા પાછી ફરે છે એટલું જ નહિ, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે છે. તેજોલેશ્યા ફેંકવા માટે તેજસ શરીરનો સમુઘાત કરવો પડે છે. સમુદ્યાતમાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવા પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તેજસમુદ્યાત તેજોલેવાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે. મુખ્ય છ લેયાઓમાંની તેજલેશ્યા તથા તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજોવેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજોલેશ્યાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજલેશ્યાનો અર્થ થાય છે આત્મિક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ પ્રયોજ્યો છે. સુખાસી-કામ.” દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચારે છે કે જો એક માસની દીક્ષાપર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોવેશ્યા અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, વાવત બાર માસની દિક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાશા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજલેશ્યા અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે. આમ, ત્રણ પ્રકારની તેજોલેયા બતાવવામાં આવી છે. લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેયા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય ત્યાં કષાયો હોવા જ જોઈએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની લેગ્યા છે. કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુક્લલેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી. ૨૩૦ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy