SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મારી નાખવા જોઈએ. ચોથા ડાકુએ કહ્યું, “બધા પુરુષોને મારવાની જરૂર નથી, જે સશક્ત અને સશસ્ત્ર પુરુષો હોય એટલાને જ મારી નાખીએ. પાંચમા ડાકુએ કહ્યું, “બધા સશસ્ત્ર પુરુષોની હત્યા કરવાની જરૂર નથી. જેઓ આપણને જોઈ ભાગી જાય તેઓને મારવાની જરૂર નથી.' છઠ્ઠા ડાકુએ કહ્યું. “આપણું કામ ધન લૂંટવાનું છે. જો ધન લૂંટવા મળતું હોય અને કોઈ સામનો ન કરે તો કોઈની પણ હત્યા કરવાની શી જરૂર છે? આ દરાન્તમાં બધાને મારી નાખવાનો વિચાર કરનાર પ્રથમ ડાકુની લેશ્યા કૃષ્ણ છે. અને કોઈની પણ હત્યા કરવાની જરૂર નથી એ ડાકુની લેણ્યા શુક્લ છે. અલબત્ત, આ દૃષ્ટાંત જુદી જુદી વેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે જ છે. એક જ ક્રિયા કરવાની હોય પરંતુ તે માટે ભિન્નભિન્ન વ્યક્તિના અધ્યવસાયો ભિન્નભિન્ન હોઈ શકે છે. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે જેની લેયા શુક્લ હોય તે લૂંટવા જાય જ કેમ ? અથવા જે લૂંટવા જાય તેની લેગ્યા શુક્લ કેવી રીતે હોઈ શકે ? પરંતુ દૃષ્ટાન્ત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું છે. | તેજલેશ્યાનો એક બીજો પ્રકાર પણ છે. છ લેગ્યામાંની તેજલેશ્યા કરતાં એ જુદો છે. ભગવાન મહાવીર અને ગોલકના સંબંધમાં બનેલી તેજલેશ્યાની ઘટના સુપ્રસિદ્ધ છે. છ પ્રકારની લેગ્યામાં આવતી તેજોલેશ્યા કરતાં આ તેજલેશ્યા ભિન્ન પ્રકારની છે. આ તેજોલેશ્યા તપોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને તે પૌગલિક પ્રકારની છે. ઠાણાંગસૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ત્રણ રીતે આ પૌદ્ગલિક તેજલેશ્યા પ્રાપ્ત થાય છે. तिहिं ठाणेहिं सम्मणे निग्गंथे संखितविउलतेउलेस्से भवइ, तं जहा-आयावणयाए, खंतिखामाए, अपाणगेणं तवो कम्मेणं । ત્રણ સ્થાનથી પ્રકારથી, રીતથી) શ્રમણ નિર્ઝન્થને સાંક્ષિપ્ત-વિપુલ એવી તેજોલેયાની પ્રાપ્તિ થાય છે જેમ કે (૧) આતાપનથી (ઠંડી-ગરમી સહન કરવાથી). (૨) ક્ષાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (૩) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી... વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે : જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે ૨૨૮ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy