SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણરહિત, રસરહિત, ગંધરહિત અને સ્પર્શરહિત છે.] દ્રવ્યલેશ્યાઓ છ છે, પરંતુ એના વર્ણ (રંગ) પાંચ બતાવવામાં આવ્યા છે, કારણ કે કાપીત કબૂતરના રંગ જેવી) લેશ્યાનો જુદો વર્ણ નથી, પણ તે કાળો અને લાલ એ બે વર્ણના મિશ્રણવાળો વર્ણ છે. આ છ દ્રવ્યલેયાના વર્ણ (રંગ) સમજાવવા માટે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યાં છે : કૃષ્ણલેશ્યા કાળાં વાદળ, અંજન, પાડાનાં શિંગડાં, અરીઠ, ગાડાની મળી, આંખની કીકી, ભમરો, કાળી કેસર, કોયલ, કાળી કનેર વગેરેના કાળા વર્ણ કરતાં પણ વધારે કાળી હોય છે. નીલલેયા અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, વૈડૂર્ય નીલમણિ, પોપટની પાંખ, કબૂતરની ડોક વગેરેના નીલ રંગ કરતાં વધુ નીલ વર્ણવાળી હોય છે. કાપોતલેશ્યા કબૂતરની ડોક, કોયલની પાંખ, અળશીનાં ફૂલ વગેરેના વર્ણ જેવી, કાલલોહિત વર્ણવાળી હોય છે. તેજોલેશ્યા લોહી, બાલસૂર્ય, ઈન્દ્રગોપ, હિંગળો, પોપટની ચાંચ, દીપશિખા, લાખ વગેરેના વર્ણ જેવી હોય છે. પાલેશ્યા ચંપાનું ફૂલ, હળદર, હડતાલ, સુવર્ણ, વાસુદેવનું વસ્ત્ર વગેરેના વર્ણ જેવી હોય છે. શુક્લલેયા શંખ, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર, રૂપાનો હાર, શરદઋતુની વાદળી, ચંદ્ર વગેરેના વર્ણ જેવી હોય છે. આમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાનો વર્ણ અપ્રીતિકર, અમનોશ હોય છે. ત્રણ શુભ લેગ્યાનો વર્ણ પ્રીતિકર અને મનોજ્ઞ હાય છે. માણસના કે અન્ય જીવના શરીરની ચામડીના જે રંગો છે તે દ્રવ્ય લશ્યાને કારણે છે એમ ન સમજવું. એ રંગો નામકર્મ પ્રમાણે હોય છે અને તે ભૂલ દૃષ્ટિથી નિહાળી શકાય છે. દ્રવ્ય લશ્યાનાં પરમાણુ સૂક્ષ્મ હોય છે. આથી જ કોઈક ગોરો માણસ ઘાતકી હોઈ શકે છે અને એની કૃષ્ણલેશ્યા સંભવી શકે છે. તેવી જ રીતે કોઈ માણસ તદ્દન શ્યામ હોય અને છતાં એ પવિત્ર, જ્ઞાની, શુભ લેશ્યાવાળો હોઈ શકે છે. આપણા તીર્થકરો રાતા વર્ણના, નીલ વર્ણના, કંચન વર્ણના હતા. એટલે દેહવર્ણ અને વેશ્યાવર્ણ એ બે જુદા છે. દ્રવ્યલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર લક્ષણમાંથી વર્ણ મનુષ્યના મનને અને શરીરને વધુ પ્રભાવિત કરે છે. એટલે લેશ્યાવર્ણનો પ્રભાવ દેહવર્ણ પર પડે છે. તીવ્ર અશુભ લેશ્યાવાળા માણસોની પાસે બેસતાં વાતારવણ બહુ તંગ લાગે લેવા ક ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy