SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તેનું સ્વરૂપ કેવું છે એ વિશે તો કોઈક જ વિચાર કરે છે. જૈન ધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવયોનિના જીવો – આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરી શકાય – ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : (૧) પુદ્ગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધમસ્તિકાય ( આકાશાસ્તિકાય અને (૫) કાલ. એમાં જીવને સવિશેષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદ્ગલ સાથે છે. આ સંબંધ અનાદિ કાળથી એટલે કે જ્યારે જીવ નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષઘણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વિતાવેલા ચક્કરોના કાલને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટ વેઠ્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છૂટવાનો એને ભાવ થાય. જીવનો જડ તત્ત્વ એટલે કે પુગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલો સંબંધ આ મનુષ્ય ભવ સુધી ચાલતો આવ્યો છે. આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુદ્ગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચકિત થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકભાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક જિંદગીમાં એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં– નહાવા ધોવામાં વાપરતા હોઈશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે? આપણે જે પુદ્ગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ પ્રહણ-વિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત ૨જ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy