SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ણ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે. મંત્રશાસ્ત્રમાં (જૈન, હિન્દુ અને બૌદ્ધ એ ત્રણેમાં) બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચ તત્ત્વો સંકળાયેલાં છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકારમંત્રના નમો' એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્ત્વ સાથે અનુસંધાન થાય છે. નમો ઉવજ્ઝાયાણ’ એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો 3=0 આકાશ, ઉ પૃથ્વી; વ = = પૃથ્વી અને જલ; યા = વાયુ અને ણ = આકાશ – એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે. = જલ; ઝા મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકારમંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાયપદનો મંત્ર ૐ હ્રીં નમો ઉવઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે. નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યમાં ચોથા દિવસે ઉપાધ્યાયપદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિનમંદિરે જઈ પચીસ સાથિયા કરવાના પચીસ ખમાસણાં દેવાનાં, પચીસ પ્રદક્ષિણા કરવાની અને ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે : તપ સજ્ઝાયે ૨ત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધત ગભાતા રે.’ પ્રત્યેક પ્રદક્ષિણા અના ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયપદના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે શ્રી આચારાંગ સૂત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ” આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. ઉપાધ્યાયપદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ * કાવ્યની શક્તિ (બીજી આવૃત્તિ) પૃ. ૧૨૩ ઉપાધ્યાયપદની મહત્તા ૬ ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy