SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમકે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાદ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ એ દિવસે ગોધૂમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિ સંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ ક૨ના૨ ઘઉંની વાનગી વાપરે છે. વીસ સ્થાનક તપની આરાધનાના દુહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દુહો બોલી નમસ્કાર કરવામાં આવે છે. ગુણ અનંત નિર્માણ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. એ દિવસે ૐ નમો સિદ્ધાણં’ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ગ કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ (આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ.ત. મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ વળી પ્રત્યેક ખમાસમણ વખતે ઉ૫૨નો દુહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. તથા સિદ્ધપદનું ધ્યાન રક્ત વર્ષે કરવાનું હોય છે. સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે : चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ॥ સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે ‘નમો સિદ્ધાણં’ પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરી૨નો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર ક૨ના૨ તથા પંચમ ગતિ’ મોક્ષ ગતિ) અપાવનારા છે. ૧૪ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy