SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધપ્રાભૃત’, ‘સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ' વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર દ્વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂપણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે : (૧) સતુ પદ, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબદુત્વ. આ આઠ દ્વારમાં “ભાદ્વાર’ ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૬) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ. આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. (વધુ વિગતો માટે “સિદ્ધપ્રાભૃત', “સિદ્ધ પંચાશિકા' વગેરે ગ્રંથ જોવા.) જુદા જુદા પ્રકાસ્ના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે: (૧) તીર્થંકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય. (૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થકરો સિદ્ધ થાય. (૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિંગ સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિંગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરૂષલિંગી સિદ્ધ થાય. (૧૨). એક સમયમાં વધુમાં વધુ ૨૦ સ્ત્રીલિંગી સિદ્ધિ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય. (૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈ પણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેક કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો ? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો સિદ્ધ પરમાત્મા ૯ ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy