SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાય’, ‘સમૂહ' એવા જુદા જુદા અર્થ થાય છે. “ઓઘનિર્યુક્તિ માં કહ્યું છે : 'समोसरण निचय उवचय चए य गुम्मे य रासी य.' । આગમન', પધારવું, “અન્ય દાર્શનિકોનો સમુદાય', “ધર્મવિચાર, આગમવિચાર’ એવા જુદા જુદા અર્થ પણ સમોસરણ શબ્દના થાય છે. “સમવસરણ” અથવા “સમોસરણ’ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના ભૂમિને માટે અથવા એમની પર્ષદા માટે ‘સમવસરણ’ શબ્દ વપરાય છે. સમવસરણ' શબ્દ “સમવસૂત' શબ્દ પરથી વ્યુત્પન્ન કરવામાં આવે છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં કહ્યું છે : 'समवसरंति जेसु दरिसणाणि दिट्ठीओ वा ताणि समोसरणाणि ।' જ્યાં અનેક દર્શન (દૃષ્ટિઓ) સમવસૃત થાય છે તેને સમવસરણ' કહે છે. સમવસરણમાં “અવસર' શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સુર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વનિના અવસરની પ્રતીક્ષા કરે છે તે “સમવસરણ એવો અર્થ પણ કરાય છે. સૂત્રકૃતાંગ', “સમવાયાંગ’, ‘આવશ્યક ચૂર્ણિ', “વિશેષ આવશ્યક ભાષ્ય', ‘કલ્પસૂત્ર', “લલિતવિસ્તરા”, “કુવલયમાળા’, ‘ચઉપન-મહાપુરિસ ચરિયમ્', ‘હરિવંશપુરાણ', તિલોયપણત્તિ', “અભિધાન ચિંતામણિ (સ્વોપ્રજ્ઞ ટીકા), વીતરાગસ્તવ', “લોકપ્રકાશ' વગેરે ઘણા ગ્રંથોમાં સમવસરણ”નું સવિગત વર્ણન જોવા મળે છે. સાધનાકાળ પૂર્ણ થતાં, ચાર ઘાતિ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. એમ થતાં જ ઈન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગ મૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનના જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અર્થાત્ ભગવાન હવે તીર્થંકર થયા છે. એટલે ઇન્દ્રો પોતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણની રચના કરે છે. વળી તીર્થકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવો સમવસરણની રચના આઠ પ્રાતિહાર્યસહિત કરે છે. પ્રતિહાર એટલે છડીદાર-સેવક તેઓ દેવાધિદેવના અસ્તિત્વને જાહેર કરવા માટે અને લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લાવવા માટે જે ચમત્કારયુક્ત રચના કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. એ આઠ પ્રાતિહાર્ય નીચે પ્રમાણે છે : ૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, પ. સિંહાસન, ૬. ૮૪ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy