SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચપરમેષ્ઠિને નમસ્કારનો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ ‘લલિત વિસ્તાર’માં કહ્યું છે : ધર્મ પ્રતિ મૂળમૂતા વવના | ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર, ‘નમો’ છે. ‘નમો અરિહંતાણં’માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં નમો’ પદનું મહત્ત્વ છે. પરંતુ ‘અરિહંત' પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હ્રદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી અરિહંત' પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ નમો’ પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી. નમો અરિહંતાણંમાં મહત્ત્વનું પદ કયું? નમો કે રિહંતાણં ? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે. ‘નમો અરિહંતાણં’માં પહેલું પદ ‘નમો’ મૂક્યું છે, ‘અરિહંતાણં' નહિ. જો ‘અરિહંત’ પદ મુખ્ય હોત તો ‘અરિહંતાણં નમો’ એમ થયું હોત. વળી ‘નમો’ એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે ‘નમો’ની અનિવાર્યતા છે. ‘નમો’ હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ’માં સરસ સમજાવ્યું છે. પરંતુ બીજી બાજુ તત્ત્વદૃષ્ટિએ જોતાં ‘અરિહંત' પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે ઃ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, એ સઘળા તુજ ાસો રે; મુખ્ય હેતુ તુ મોક્ષનો, એ મુજ સબળ વિશ્વસો રે. આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તોય અરિહંત તો છે જ. અરિહંત ૫૨માત્મા પંચ૫૨મેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી. નોમાં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં-સાંસારિક ભાવોમાં ન રહે તે ન-મન. નમન એટલે No Mindની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy