SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ બિહારમાં મહાસાગર ઊમટ્યો હતો. અંતરંગમાં તેઓ અમૃતસાગરમાં બેઠા હતા. મુનિપણાના શુદ્ધ ઉપયોગની શી બલિહારી છે કે બહારના ભયંકર તાપ-ઉત્તાપને પણ છે શમાવી શીતળ બનાવી દે છે. બહારની ભયંકર યાતનાઓ પણ આત્માનુભવ આગળ છે છે પાંગળી બની પાછી પડે છે. અરે ! એક એક શ્વાસમાં મુનિ તો અનંત કર્મોના ઢગલાને આ કે હડસેલતા ઊર્ધ્વશ્રેણીએ ચડતા જતા હતા. જેને દેહના સ્પર્ધાદિ સ્પર્શતા નથી. ઇન્દ્રિયોના જે વિષય-ભણકારનો ત્યાં કોઈ રણકાર નથી. વિષય-અગ્નિનો તાપ તો પ્રભુ જન્મથી જ આ જે ઠારીને આવ્યા હતા. સમતાના સાગરમાં પોતાના શુદ્ધ ઉપયોગની નાવ વડે પ્રભુ છે છે. સંસારસાગરને તરી જવાની અંતરંગની ગુણશ્રેણીમાં બિરાજમાન હતા. હિંપૂર્ણજ્ઞાન પ્રગટ થયું Sિ જેમ જેમ પાણીનાં મોજાં પ્રભુને ટકરાતાં ગયાં, પાણી ચડતું ગયું તેમ તેમ પ્રભુ ક અંતરંગમાં શુદ્ધોપયોગમાં લીન થતા ગયા. કારણ પ્રભુ જાણતા હતા કે આ બહારનાં છે. પાણીનાં મોજાં મારું હિત કે અહિત કરી શકે તેમ નથી. મારું શ્રેય મારી સમશ્રેણીમાં આ જ છે. તેથી તેમાં લયલીન થવાનો દાવ પ્રભુ લગાવી રહ્યા હતા. અંતે ચાર ઘાતકર્મનો * નાશ થતાં પ્રભુ શુદ્ધ કેવળજ્ઞાનને પામ્યા. ધરતી પર આ લીલા ચાલી રહી હતી. બીજી બાજુ ધરણેન્દ્ર પવાવતીને પ્રભુભક્તિનું છે સ્મરણ થતાં ધરતી પર જુએ છે તો અરે, આ શું ! પ્રભુના ઉપકારને ભૂલીને આપણે છે આ તો દેવલોકના સુખમાં રાચી ગયાં. સેવા ચૂકી ગયાં અને પ્રભુને ભયંકર ઉપસર્ગ થઈ છે Sી રહ્યો છે. તરત જ ધરતી પર આવીને એ મહાસાગરના જળને પોતાની શક્તિ વડે હું આ ધારણ કરી પ્રભુને છત્ર ધારીને બંને રક્ષણ આપી રહ્યાં. પણ પ્રભુ તો અંતરંગમાં છે બેલા હતા. ત્યાં તો શુદ્ધ ભાવનું અખંડ અદ્વિતીય અંતિમ શરણ હતું. ધરણેન્દ્રછે પદ્માવતીએ તો ભક્તિથી પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. પાણીને ખાળી દીધું, ત્યાં આ શું ? છે. દેવદુંદુભિનો રણકાર થયો. ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ અઠ્ઠમ તપમાં આરૂઢ પ્રભુએ છે. શેષ ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી લોકાલોકપ્રકાશક છે જ કેવળજ્ઞાન પ્રગટ કર્યું હતું. in Education International For Private & Personal Use Only SAVA VAVAVAVAVASTAVAVAYAAAYYYAAAAA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy