SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ W AVUV-AVVAV*VYRUVAYWAVUVWYWAV*VYRA ૧૩૪ છે અને ચિંતન કરાવવા માટે છે. સ્ત્રી, સુવર્ણ આદિ પદાર્થો અનિત્ય, અસાર અને કર્મને છેઆપનારા છે, માટે તે ત્યાગવા યોગ્ય છે; તે વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારાં વાકયો છે. તેનો અર્થ વિશ્વમાં ભૂતોનું અસ્તિત્વ જ નથી એમ ન માનવું. તે અસ્થિર ૨ છે અને અસત્ હોવાથી સ્વપ્નવત્ માન્યાં છે. જગતમાં જે જે પદાર્થો જણાય છે તેનો કેવળ જ નાશ નથી, પરંતુ પદાર્થોનું પરિણમન થયા કરે છે. મૂળ તત્ત્વ તો નિત્ય ટકે છે. જેમ સુવર્ણની બંગડી બને, વળી બંગડીનો નાશ થઈ વીંટી બને, છતાં સુવર્ણનો નાશ થતો છે જ નથી, અંતે પરમાણુરૂપ પોતાનું અસ્તિત્વ પદાર્થમાત્રનું રહે છે. આત્મા સ્વયંભૂ અને અવિનાશી છે. પ્રભુનાં વચનથી વ્યક્ત પંડિતનું સમાધાન થતાં તેઓએ પોતાના પાંચસો શિષ્યો સહિત પ્રભુનું શિષ્યત્વ ગ્રહણ કર્યું અને ચોથા ગણધરપદને પામ્યા. પ. સુધર્મા પંડિત શંકા : જે આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં થાય કે બીજા સ્વરૂપે થાય ? હું પુરુષો વે પુરુષત્વમનુત્તે પરવ: પશુત્રમ્ | પુરુષ મરીને પુરુષ થાય અને પશુ મરીને પશું થાય. હે સુધર્મા ! તું એમ માને છે કે માનવ માનવપણે જન્મે અને ગાય વગેરે પશુઓ પશુ ન તરીકે જન્મે. વળી બીજે પ્રકારે એમ કહે છે કે વિષ્ટા સહિત માનવને અગ્નિસંસ્કાર આપે ૬ છે તો તે શિયાળ થાય. આ વિરોધી વાકયો છે. વળી તું માને છે કે જેવું અનાજનું બીજ હોય છે તે પ્રમાણે અનાજ થાય છે. ઘઉં વાવે તો ઘઉં ઊગે પણ બાજરી ન ઊગે. તેમ માનવ મરીને એ માનવ અને પશુ મરીને પશુ થાય. હવે તું વિચાર કર કે મનુષ્ય ક્રૂર પરિણામવાળો હોય, ઘોર કર્મ કરતો હોય તો છે. તેનાં કર્મ પ્રમાણે તેને પશુ આદિનો જન્મ મળે. જો તેમ ન થાય તો તેનાં કરેલા કર્મનું આ ફળ નિષ્ફળ જાય. જો તે સરળ ચિત્તવાળો હોય, સુકૃત્ય કરનારો હોય તો મનુષ્યગતિ : . - પામે. nwr.c5* વીર 2. હવે જો પશુ આદિ જીવોનાં પરિણામો સરળ હોય તો તેમની તેટલી શુદ્ધિ થવાથી છે કે દુઃખ સહન કરવાથી તેઓ સદ્ગતિ પામી શકે. જો તેમ ન બને તો - પશુ પશુ જ છે રહે તો – તેનો આત્માનો વિકાસ કેવી રીતે થાય ? :- vate. Pa Bત્સાહ જ APERS લાભESS
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy