SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ PYY ૧૨૮ છે કોઈ કહેશે અને જેનો અનુભવ ન થાય તે અમે માનતા નથી અને કોઈનું કહેલું કે છે પણ અમને સ્વીકાર્ય નથી. એક માણસે પેંડો ખાઈને બીજી વ્યક્તિને કહ્યું કે તું મને છે છે પેટમાં ગયેલો પેંડો દેખાડ તો માનું કે પેંડો ખાધો છે. તે કેવી રીતે બને ? અરે ! છે શરીરમાં પેટ કે માથું દુખે છે તે દર્દી અનુભવે છે ખરો પણ તે દર્દ કેવી રીતે બતાવી છે છે શકે ? પેટ ને માથે બતાવી શકાય, પણ વેદના કેવી રીતે બતાવી શકાય ? તેવી રીતે હું કે તમને પુત્રાદિના સ્મરણથી ખુશ થઈ તો તે કેવી રીતે બતાવી શકાય? શબ્દોથી કહી ૐ શકાય, કારણ અમર્યાદ વસ્તુને મર્યાદિત વસ્તુથી કેવી રીતે બતાવી શકાય ? છે. કોઈ કહે છે કે અમે આત્મા જેવું કંઈ માનતા નથી. “આત્મા’ શબ્દ જ આત્મા છે. નામના પદાર્થને જણાવે છે. જે વસ્તુનો ભ્રમ થાય તે વસ્તુનું અસ્તિત્વ હોય છે. નહિ તો જે શબ્દાકારમાં આવતું નથી. જેમ છીપમાં ચાંદી હોવાનો ભ્રમ થાય છે તે દર્શાવે છે કે ચાંદી જેવી કંઈ વસ્તુ છે ખરી. કે શરીરમાં રહેલી દરેક ઇંદ્રિય પોતાના વિષયને જાણે છે. કેવી રીતે? દરેક ઇંદ્રિયને છે ભિન્ન ભિન્ન વિષય હોય છે. પણ એ દરેકનું ભાન આત્માના ઉપયોગ દ્વારા જણાય છે. હું . જો ઇંદ્રિયોને ભાન હોય તો શબમાં ઇંદ્રિયો કાર્યકારી રહી શકે. ચેતનના સંચાર વગરના છે. શબમાં ઇંદ્રિયો કંઈ કરી શકતી નથી. શરીરમાંથી એવું શું નીકળી જાય છે કે તેથી બધી છે છે જ ક્રિયા બંધ થઈ જાય છે ? કોઈ કહેશે વાયુ, કોઈ કહેશે વિજળી, કોઈ કહે છે કે છે. શક્તિ. અરે ! કથંચિત્ એને જ અમે આત્મા કહીએ છીએ. જે તત્ત્વ ગયું તે આત્મા છે. છે. જેના દ્વારા તું શંકા કરે છે તે તું સ્વયં છું. છે સર્વજ્ઞ ભગવાન મહાવીરનાં વચનોથી ઇંદ્રભૂતિ અતિશય સંતોષ પામ્યા અને તેમના સર્વ સંશયો નષ્ટ થતાં તેમને નિર્ણય થયો કે આ સર્વજ્ઞ છે, તે કહે છે તેવો આત્મા છે.' છે અને તરત જ તે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુને સમર્પિત થઈ ગયા અર્થાત્ દીક્ષા હું છે ગ્રહણ કરી. તરત જ પ્રભુએ ગૌતમને જગતના સ્વરૂપનો ઉપદેશ આપ્યો કે દરેક પદાર્થ છેવર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્યરૂપે ૐ નિત્ય રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org >>
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy