SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના ઉપદેશને પાત્ર પંડિતો મળ્યા તો તે કાળે અને તે સમયે આપાપાપુરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે મોટો યજ્ઞ ૬ યોજ્યો હતો. તે માટે ઘણા વિચક્ષણ બ્રાહ્મણો-પંડિતોને આમંત્રણ આપ્યું હતું. તેમાં ચૌદ વિદ્યાના પારગામી મહા શાસ્ત્રજ્ઞ એવા ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે ભ્રાતા પાંચસો શિષ્યોથી પરિવરેલા આવ્યા હતા. વ્યક્ત અને સુધર્મા, પંડિત, મૌર્યપુત્ર, હું અકૅપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ વગેરે અગિયાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યોના હુ (ા પરિવાર સાથે ત્યાં આવ્યા હતા. તે સર્વને સંપૂર્ણજ્ઞાન હતું નહિ. પોતે શંકાશીલ હોવા છતાં શાસ્ત્રજ્ઞાનને આધારે તેઓ પોતાને સર્વજ્ઞ માનતા હતા. અહંકારને કારણે પોતાની રે િશંકાનું નિવારણ પણ કરતા ન હતા. તેઓને આ પ્રમાણે શંકા હતી. હૈ ૧. ઇંદ્રભૂતિ – જીવ છે કે નહિ ? ૨. અગ્નિભૂતિ – કર્મ છે કે નહિ ? ૩. વાયુભૂતિ – શરીર એ જ જીવ છે કે શરીરથી જીવ ભિન્ન છે? ૪. વ્યક્ત – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ પાંચ ભૂત છે કે નહિ? છે. ૫. સુધર્મા – આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ થાય કે પરભવમાં ભિન્ન છે છે સ્વરૂપે થાય ? ૬. મંડિત – આ જીવને કર્મથી બંધ અને મુક્તિ છે કે નહિ? છે ૭. મોર્યપત્ર – દેવલોક છે કે નહિ ? ૮. અકંપિત – નારકી છે કે નહિ? ( ૯. અલભ્રાતા – પુણ્ય-પાપ છે કે નહિ ? ( ૧૦. મેતાર્ય – પરલોક છે કે નહિ ? છે. ૧૧. પ્રભાસ – મોક્ષ છે કે નહિ ? આ પ્રમાણે અગિયારે પંડિતો સંશયવાળા હતા. છતાં સર્વજ્ઞતાનો ભાસ સેવા હતા. જોકે તેમનું ભવિતવ્ય પાત્રતા પામવાનું હતું. ઇંદ્રભૂતિની સમસ્યા અપાપાપુરીમાં એક બાજુ યજ્ઞક્રિયાનો આરંભ થયો હતો, ત્યારે બીજી બાજુ છું રજાકિર જિD8%% જિજિજિજHTT Sin Education International For Private & Personal Use Only
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy