SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ BR / wung) Jા ! સ્થા શરૂ ૯૧ કે દેહની સેવાસુશ્રુષા કરતા નહિ કે કરાવતા નહિ. ઉપરથી જે ઉપસર્ગો ઉત્પન્ન થયા તે મૌનપણે સહી લીધા. આ ઉપસર્ગો દેવોએ કર્યા, મનુષ્યોએ કર્યા, તિર્યંચોએ કર્યા કરે કે દેવદેવીઓએ આકર્ષિત કરે તેવાં નાટકચેટક કર્યો. સ્ત્રીઓએ આલિંગન કર્યા, કામભોગની Sિ છેપ્રાર્થના કરી, એવા પ્રતિકૂળ અને અનુકૂળ અનેક ઉપસર્ગો થયા છતાં પ્રભુએ તે સીમાં એ સમતા અને દઢતા રાખી સહી લીધા. છે શૂલપાણિનો કોપ શો, તે મૈત્રીભાવ પામ્યો . એક વાર ધનદેવ નામનો કોઈ વ્યાપારી પાંચસો ગાડાં લઈને નદીમાં ઊતરતો ન હતો. તે નદીમાં ઘણો કાદવ હોવાથી તેનાં પાંચસો ગાડાં ખેંચી ગયાં. બળદો ઘણું જોર હતી છે કરવા લાગ્યા પણ ગાડાં નીકળી શક્યાં નહિ, તેમાં એક બળદ ઘણો જોરાવર અને જ ઉત્સાહી હતો. મૂક પ્રાણી પણ માલિક પ્રત્યેની વફાદારીને સ્વીકારીને, તે બધાં ગાડાંની બીજી ધોંસરીમાં જોડાઈ જતો અને વારાફરતી બધાં જ ગાડાં તેણે બહાર ખેંચી કાઢ્યાં છે છે. પરંતુ અતિશય શ્રમને કારણે તે બળદના સાંધા તૂટી ગયા. હવે તે ચાલવાને અશક્ત દૂ થઈ ગયો. ધનદેવને તેના પ્રત્યે ઘણો સદ્ભાવ હતો, પણ તે રોકાઈ શકે તેમ ન હતો , છે અને બળદ ચાલી શકે તેમ ન હતો, તેથી તેણે લાચાર થઈને તેને છોડી દેવાનો વિચાર છે છે કરવો પડ્યો. છે ધનદેવ નજીકના ગામમાં ગયો. ત્યાં જઈ એક વર્ધમાન નામના અગ્રેસરને છે ઘાસચારાની પૂરતી સગવડ આપી બળદ સોંપ્યો. પણ પાછળથી તે અગ્રેસરે બળદની છે સંભાળ ન લીધી. ઘાસચારો પૂરતો આપ્યો નહિ. આથી તે બળદ ભૂખતરસથી પીડાઈને છે દુઃખ સહીને મૃત્યુ પામીને શૂલપાણિ નામે યક્ષ થયો. તેણે અવધિજ્ઞાન વડે પૂર્વભવને છે જાણીને તે ગામ પર વેર વાળવા મરકી જેવો ઉપદ્રવ કરવા માંડ્યો. તેમાં ઘણા માણસો હણે મૃત્યુ પામ્યા. અગ્નિસંસ્કાર કરનારા પણ મળતા નહિ. આમ મડદાનાં હાડકાંનો એટલો ઢગલો થઈ ગયો કે તે ગામનું નામ પણ અસ્થિગ્રામ જાહેર થઈ ગયું. એ - જે થોડા માણસો જીવતા રહ્યા તેમણે કોઈ વડીલની સલાહ મુજબ યક્ષને પ્રસન્ન કર્યો અને તેની મૂર્તિ સ્થાપી એક મંદિર બંધાવ્યું. લોકો તેની પૂજા કરવા લાગ્યા. યક્ષ - શાંત થયો પણ જો કોઈ અજાણ્યો માનવ તે મંદિરમાં રાત રહેતો તો તેને તે શૂલપાણિ છે છે મારી નાખતો. For Private & Personal Use Only www.jainelibrary.ke
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy