SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લzgઝaszqxqews છે નેમિનાથ તથા શ્રી આદીશ્વરનાં જીવનચરિત્રોનાં રહસ્યો આલેખ્યાં છે. તે પ્રથમ શ્રાવકને છે ઉપયોગી પાંચ કર્તવ્યો મૂક્યાં છે અને પાછળ પરિશિષ્ટમાં સાધુચર્યાની પ્રણાલી જાણવા છે કે સમજવા સમાચારી અને સ્થવિરાવલી મૂક્યાં છે. વાસ્તવમાં જૈન દર્શનમાં પ્રસ્તુત આ ગ્રંથનું માહાભ્ય સવિશેષ મનાયું છે, તે ભગવાનનાં જીવનચરિત્રોને આધારે છે. આનંદ હો, મંગળ હો. ચોથી આવૃત્તિ સમયે શું ઉમેરાયું? શ્રી કલ્પસૂત્ર કથાસારની પ્રથમ આવૃત્તિ ૨૦૪૪માં પ્રગટ થઈ ત્યાર પછી બીજા છે ર વર્ષે ૨૦૪પમાં બીજી આવૃત્તિ અને વળી એક વર્ષમાં ત્રીજી આવૃત્તિ ૨૦૪૬માં પ્રગટ છે એ થઈ. સરળ ભાષા અને રોચક શૈલીમાં પ્રસ્તુત ગ્રંથ ભવ્ય જીવોને રૂચિકર થયો તેમાં શું છે. આનંદ છે. વળી ચોથી આવૃત્તિની આવશ્યકતા ઊભી થઈ. આથી વાચકવર્ગના છે જ ઉત્સાહથી પ્રેરિત થઈ પ્રસ્તુત આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. ચોથી આવૃત્તિમાં કરેલા ફેરફાર શું છે ? કે (૧) બધાં જ ચિત્રો બદલ્યાં છે. વાચકવર્ગને અલગ અલગ પ્રકારની શૈલીની પદ્ધતિ જાણવા મળે, રૂચિકર લાગે અને મહાપુરુષોના પ્રસંગોનો મહિમા આવે, તેવા આશયથી બધાં જ ચિત્રો બદલ્યાં છે. (૨) ચાર તીર્થકરની કથાના સારમાં ત્રિશષ્ટિકલાકાપુરુષનાં કથાનકોમાંથી વાચકોને રુચિકર થાય તેમ થોડો કથાનો વિસ્તાર કર્યો છે. જેમ કે નેમિનાથના નવ ભવનું વર્ણન, ઋષભદેવના સમયનું જગતનું સ્વરૂપ. આવા થોડા ફેરફાર કરવાનો હેતુ વાચકવર્ગને ભગવાનનાં ચરિત્રો વિશેષપણે બોધદાયક થાય તે છે. છે (૩) શ્રાવકનાં કર્તવ્યોમાં પણ વિશેષ બોધરૂપે સારાંશનો ઉમેરો કર્યો છે, જેથી ભવ્ય જીવો આ કાળમાં તે કર્તવ્યોનું યથાર્થ પાલન કરી શકે. વિનીત સુનંદાબહેન વોહરા : "0 " Kain Education International For Private & Personal Use Only www.jainelibrary.orte
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy