SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બધ ૨૩૩ ચિત્ત વિષયે વિષે ધાવન (દેડાદોડ) ન કરે તથા ધ્યેયાકાર પરિણામને પામવા જાય ત્યારે ઈન્દ્રિયે પણ ચિત્તને અનુસરે. ચિત્તનિધિ સમયે ઇદ્રિ બહિર્ગામી ન થતાં પિતે પણ નિરાધાભિમુખ થઈ રહે તે સિદ્ધ થયેલે ઈન્દ્રિયને ધર્મ તે પ્રત્યાહાર કહેવાય છે. જેમ એક ભ્રમર એક વિષય પ્રત્યે આકર્ષાય ત્યારે બીજી મધુમક્ષિકાઓની તદનુસાર પ્રવૃત્તિ થાય છે, તેમ ચિત્તને અનુકૂળ ઈન્દ્રિયે થાય તે પ્રત્યાહાર છે. પ્રત્યાહારની સિદ્ધિથી ઇન્દ્રિયને પરમ જય થાય છે. ચિત્તની એકાગ્રતા થવા માત્રથી કોઈ પણ અન્ય પ્રયત્ન વિના જે ઈન્દ્રિયેની નિરુદ્ધ થઈ જવાની યેગ્યતા તે જ ઈન્દ્રિયેને પરમ જય છે. તે પ્રત્યાહારની સિદ્ધિ છે. આ પ્રકારને ઈન્દ્રિયય યુગમાં અત્યંત - આવશ્યક છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ પાંચ બહિરંગે છે, તેથી મંદાધિકારી માટે આવશ્ય અપેક્ષિત છે. ઉત્તર ત્રણ અંગે અંતરંગ છે. સર્વ (ઉત્તમ) અધિકારી માટે સાધારણ હેવાથી તથા યેગમાં શ્રદ્ધાતિશય ઉત્પન્ન કરનારા તથા અનેક સિદ્ધિઓ પ્રગટ કરનારા છે. ૬. ધારણઃ જે સ્થાને ધ્યેયનું ચિંતન કરવાનું છે તે ધ્યાનના આધારરૂપ વિષયમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણા છે. બાહ્ય અને આત્યંતર પદાર્થો વિષે ચિત્તને સ્થિર કરી ધારણ કરવું તે ધારણા છે. બાહ્ય પદાર્થો તે સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, મણિ, શુકને તારે, દેવ, સગુણ ઈશ્વરનું રૂપ, સદ્ગુરુ વગેરે છે. આત્યંતર પ્રદેશમાં પૃથ્વી આદિ પાંચ, સપ્તચક્ર, હૃદયપઘ, શરીરનાં નાસિકા વગેરે વિવિધ સ્થાનેનું ગ્રહણ કરવામાં આવે છે. આ અંગે ગીશ્વર સદ્ગુરુની 'નિષ્ઠામાં અભ્યાસ કરવો. સાધકે પ્રથમ બાહ્ય વિષયે અને ક્રમે ક્રમે આવ્યંતર વિષય . લેવા. ધારણને પ્રગ રેજ એક જ વખત સળંગ આઠ ઘટિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy