SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે ૧૪૩ સબુદ્ધિની તીણતા પ્રજ્ઞારૂપે કાર્ય કરી સંસારના સ્વરૂપને નિહાળી તટસ્થભાવે વર્તે છે. આવી અનેક પ્રકારની ગુણરાશિ ઊમટે છે. વળી દૈહિક ચમત્કૃતિઓને અનુભવ થાય છે, ત્યાં સાધકે અટકી ન જવું. તેનું અવલેકન કરી, મુક્ત થઈ આગળ વધવું. દેહ બાહ્ય સાધન છે. આત્મા સાધ્ય છે, માર્ગ સાધના છે. સાધન અને સાધના સહાયક ત છે તેને ગૌણ કરી સાધ્યને સિદ્ધ કરવું જરૂરી છે. યોગાભ્યાસનું એ પ્રયજન છે. ૦ ગૃહસ્થ સાધકને માટે યોગાભ્યાસનું ઔચિત્ય અષ્ટાંગયોગના વિવિધ પ્રકારે જોઈને ગૃહસ્થ સાધકને કદાચિત તેના પ્રારંભમાં કઠિનતા લાગવા સંભવ છે, આમાં સંસારી જીવનની વ્યસ્તતા, શક્તિઓની કેટલીક મર્યાદા અને અનાભ્યાસ ઇત્યાદિ કારણે છે. પરંતુ ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવાની જિજ્ઞાસુએ હળવા મનથી હળવે પ્રયત્ન કરે. જેમ જેમ તેમાં સફળતા મળશે તેમ તેમ ઉત્સાહ વધશે. સામાન્ય સાધક જે આ માર્ગને યાત્રી થયે છે, તે અહિંસાદિ પાંચ આચારનું યથાશક્તિ પાલન કરતે હોય છે, અને ગ્રતાદિના સંયમ વડે તેને સંતેષ જેવા ગુણે સંપાદન થયા હોય છે, તેથી પ્રભુ પ્રત્યેની ભક્તિની પ્રીતિ જાગ્રત થાય તે સ્વાભાવિક છે. આ બે અંગેનું આ પ્રકારે યથાશક્તિ આચરણ થવાથી સાધક નિવૃત્તિમાં જ્યારે બેસે છે ત્યારે તેને સહજ સુખકર આસન સિદ્ધ થવાનું છે, તેમાં નિઃશંક રહેવું. પ્રાણાયામ, તે તે શ્વાસઅનુપ્રેક્ષા જેવા આલંબનથી કે દીર્ઘશ્વાસથી ચિત્તસ્થિરતા જેવી પ્રક્રિયા માટે પૂરતા થઈ પડે છે. આસન પ્રાણાયામ વડે યથાશક્તિ સ્થિરતા પ્રાપ્ત થયા પછી અને એકાંત, મન જેવાં સાધનેના સેવન પછી ધારણુ-શક્તિ એટલે કે એક વિષય પરની સ્થિરતા, ચિંતન વગેરે અલ્પ સમય માટે સિદ્ધ થઈ શકે છે. ધારણના અભ્યાસ પછી ધ્યાન અર્થાત્ એક વિષય પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy