SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મેાક્ષ પ્રત્યે પ્રવર્તન એ યાગ છે ૧૩૭ ફાયદો થાય છે ખરા; વળી કોઈ આસન સાથે પ્રાણાયામ અર્થાત્ ચેાથા અંગના સ્વીકાર કરે છે. રૂઢિગત રીતે પ્રથમ આંગ-(પાંચ આચારદિ) યમ, ખીજું અંગ – નિયમની (ભક્તિ આદિની) સાધના કરે છે. આમ આ પ્રથમનાં ચાર અંગોની ભિન્ન ભિન્નપણે કે એકાંગી સાધનાપદ્ધતિએ જોવા મળે છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ પાછળનાં ચાર અંગેાને તા કેવળ યાગીએ જ સિદ્ધ કરે છે. ગૃહસ્થ, ભૂમિકા પ્રમાણે નિવૃત્તિ અને રુચિ અનુસાર અષ્ટાંગયોગની અલ્પાધિક સાધના કરી શકે છે અને ધ્યાનમાર્ગમાં તે ઉપયાગી છે. ૦ અષ્ટાંગયેાગની સરળ અને સક્ષિપ્ત સમજ ૧ યમ ઃ આ પહેલું અંગ છે, તેમાં જીવનશુદ્ધિના પાંચ આચાર કહ્યા છે. તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત છે. ૨ નિયમ : ૫'ચાચારની વિશુદ્ધિ અને દૃઢતા માટે પાંચ નિયમ છે. શૌચ, સંતાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (પ્રાર્થના). ૩ આસન : આસના ઘણા પ્રકારનાં છે, તેમાં પદ્માસન ઉત્તમ છે. સાધકે નિશ્ચળ અને સુખકર આસન રાખવું. ૪ પ્રાણાયામ : પ્રાણાયામના વિવિધ પ્રકારો છે. શ્વાસપ્રશ્વાસની ગતિના અને અન્ય પ્રાણના સંયમ પ્રાણાયામના અભ્યાસથી સિદ્ધ થાય છે, ૫ પ્રત્યાહાર : ઇંદ્રિયના વિષયાથી પાછું વળવુ'. તેને સંક્ષેપ કરવા કે ગેાપવવી તે પ્રત્યાહાર છે. અંતરમુખતારૂપ છે. ૬ ધારણા : આંતર-બાહ્ય કોઈ પદાર્થનું અવલંબન લઈ ચિત્તને સ્થિર કરવું. ૭ ધ્યાન : ધ્યેયને અવલખિત ચિત્તને એકાગ્ર કરવું તે. તેના સગુણ અને નિર્ગુણ એમ બે પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy